ઈ-વાહનોને પ્રોત્સાહન આપવા માટે દિલ્હી સરકારનો મોટો નિર્ણય, જાણો આ વાહનો માટે શું મળશે સુવિધા

દિલ્હી સરકાર ઈ-વાહનોને પ્રોત્સાહન આપવા અનેક નિર્ણય લઇ રહી છે. અગાઉ દરેક સરકારી ખાતામાં ઈ-વાહનો ફરજીયાત બાદ સરકારે બીજા નિર્ણય લીધા છે.

ઈ-વાહનોને પ્રોત્સાહન આપવા માટે દિલ્હી સરકારનો મોટો નિર્ણય, જાણો આ વાહનો માટે શું મળશે સુવિધા
5 ટકા પાર્કિંગ ઇ-વાહનો માટે અનામત
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 13, 2021 | 12:35 PM

દિલ્હીમાં ઇ-વાહનોને પ્રોત્સાહન મળે તે માટે અનેક નિર્ણય લેવામાં આવી રહ્યા છે. જેમાં વેપારી ઇમારતોમાં પાર્કિંગની પાંચ ટકા જગ્યા ઇ-વાહનો માટે અનામત રહેશે. એટલું જ નહીં તે સ્થળોએ ઇ-વાહનોના ચાર્જિંગ પોઇન્ટ પણ લગાવવાના રહેશે. આ વ્યવસ્થા એ વ્યાપારી ઇમારતો પર લાગુ કરવામાં આવશે, જ્યાં 100 અથવા વધુ વાહનો માટે પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ હશે. આવી ઇમારતોને આ વ્યવસ્થા કરવા માટે ડિસેમ્બર સુધીનો સમય આપવો પડશે. જાહેર છે કે દિલ્હીમાં પાર્કિગની સમસ્યા ખુબ છે, ત્યારે આ નિર્ણયથી ઈ-વાહનચાલકોને લાભ થશે.

સરકારે દિલ્હીમાં ઇ-વાહન ખરીદીને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઇ-વાહન નીતિમાં નવા વેપારીક બિલ્ડિંગોમાં 20 ટકા પાર્કિંગ ઇ-વાહનો માટે અનામત રાખવાનો નિયમ છે. વળી મોલ, હોસ્પિટલો, શોપિંગ કોમ્પ્લેક્સ, રેસ્ટોરાં, થિયેટરો ચલાવી રહેલા જૂના બિલ્ડીંગોને 5 ટકા પાર્કિંગ ઇ-વાહનો માટે અનામત રાખવું પડશે. આટલું જ નહીં પાર્કિંગની જગ્યામાં ઇ-વાહનો ચાર્જ કરવા માટે ચાર્જિંગ પોઇન્ટ પણ લગાવવાના રહેશે.

ડિસેમ્બર સુધી ચાર્જિંગ પોઇન્ટ તૈયાર કરવામાં આવશે

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

ઇ-ચાર્જિંગ પોઇન્ટ માટે સરકાર છ હજાર રૂપિયા સુધીની સબસિડી પણ આપશે. સરકારનો દાવો છે કે નવી સૂચનાઓથી દિલ્હીમાં 10,000 ઇ-વ્હિકલ ચાર્જિંગ પોઇન્ટ પણ બનશે. ડિસેમ્બર સુધીમાં આ ચાર્જિંગ પોઇન્ટ તૈયાર થઈ જશે. જણાવી દઈએ કે દિલ્હીમાં હાલમાં 9 હજારથી વધુ ઇ-વાહનો છે. સરકાર ઇ-વાહનોને પ્રોત્સાહન આપવા માટેની મૂળભૂત જરૂરિયાતોને પૂર્ણ કરવામાં કટિબદ્ધ છે.

2024 સુધીમાં 25 ટકા ઇ-વાહનનું લક્ષ્ય

દિલ્હી સરકારે 2024 સુધીમાં 25 ટકા વાહનો ઇ-વાહનો હોવાનું લક્ષ્ય બનાવ્યું છે. આ માટે સરકાર દર ત્રણ કિલોમીટરમાં ઇ-ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું કામ કરી રહી છે. દિલ્હીમાં હાલમાં 72 ઇ-ચાર્જિંગ સ્ટેશન છે. 100 બનાવવાનું કામ શરૂ કરાયું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">