5G પછી હવે 6G, PM Modiના પ્લાન પર કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ એ કર્યો ખુલાસો

વડાપ્રધાન મોદીની ઈચ્છા છે કે આખી દુનિયામાં ભારત છઠ્ઠી જનરેશની વાયરલેસ ટેકનોલોજી 6Gમાં સૌથી આગળ રહે. વડાપ્રધાન મોદી (PM Narendra Modi) ભારતના વિકાસને ટેકનોલોજીના સહારે ગતિ આપવા માંગે છે.

5G પછી હવે 6G, PM Modiના પ્લાન પર કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ એ કર્યો ખુલાસો
After 5G now 6G networkImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2022 | 11:26 PM

6G Technology : ભારતમાં ટેકનોલોજીના નવા યુગની શરુઆત થઈ છે. ભારતમાં હાલમાં જ વડાપ્રધાન મોદીએ 5G સેવા લોન્ચ કરી છે. ભારતમાં 5G સેવા લોન્ચ થવાના એક દિવસ પછી જ હવે 6Gની તૈયારી શરુ થઈ છે. કેન્દ્રીય સંચાર અને સૂચના પ્રૌધોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવ એ આ વિષય પર મહત્વના નિવેદન આપ્યા છે. એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે, ભારત 6G ટેકનોલોજીમાં આગળ રહે તેવી વડાપ્રધાન મોદીની ઈચ્છા છે. તેમના અનુસાર, વડાપ્રધાન મોદીની ઈચ્છા છે કે આખી દુનિયામાં ભારત છઠ્ઠી જનરેશની વાયરલેસ ટેકનોલોજી 6Gમાં સૌથી આગળ રહે. વડાપ્રધાન મોદી (PM Narendra Modi) ભારતના વિકાસને ટેકનોલોજીના સહારે ગતિ આપવા માંગે છે.

હાલ 6G ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે. આ ટેકનોલોજી છઠ્ઠી જનરેશનની વાયરલેસ કમ્યુનિકેશન ટેકનોલોજી છે. તે સેલ્યૂલર ડેટા નેટવર્કને સપોર્ટ કરે છે. 6G ટેકનોલોજી , 5G ટેકનોલોજીની અપગ્રેડ ટેકનોલોજી હશે. તે ઈન્ટરનેટ સ્પીડના મામલે પણ 5G ટેકનોલોજીથી વધારે ઝડપી હશે. 6G ટેકનોલોજી નેટવર્ક પણ કદાચ બ્રોડબેન્ડ સેલ્યૂલર નેટવર્ક હશે. તે નાના ભૌગોલિક ક્ષેત્રમાં વહેંચાયેલુ હશે, જેને સેલ કહેવામાં આવશે.

ભારતમાં 5G ટેકનોલોજી લોન્ચ

નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં આયોજિત 5G ટેકનોલોજી લોન્ચ ઈવેન્ટમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર રહ્યા હચા. તેમની સાથે ટેલીકોમ સેક્ટરના રિલાયન્સ એન્ડ સ્ટ્રીજના ચેરમેન મુકેશ અંબાણી, આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા અને ભારતીય એરટેલના ચેરમેન સુનીલ ભારતી મિત્તલ પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 5G સેવા લોન્ચ થવાના અવસરે, દેશની સૌથી મોટી ટેલીકોમ કંપનીઓમાં જોરદાર એકતા જોવા મળી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ શહેરોમાં થઈ શકે 5G સેવા શરૂ

5G સેવાઓ તબક્કાવાર શરૂ કરવામાં આવશે. 13 શહેરોમાં જ્યાં પ્રથમ 5G નેટવર્ક શરૂ થશે તેમાં અમદાવાદ, બેંગલુરુ, ચંદીગઢ, ચેન્નાઈ, દિલ્હી, ગાંધીનગર, ગુરુગ્રામ, હૈદરાબાદ, જામનગર, કોલકાતા, લખનૌ, મુંબઈ અને પૂણેનો સમાવેશ થાય છે.

જો કે, એરટેલ, જિયો અને વોડાફોન આઈડિયા જેવા ટેલિકોમ પ્રોવાઈડર્સ આ 13 શહેરોમાં તબક્કાવાર રીતે 5G સેવાઓ શરૂ કરી શકે છે, જેનો અર્થ એ છે કે જો તમે આમાંથી કોઈ એક વિસ્તારમાં રહેતા હોવ તો પણ તમને સેવાનો ઉપયોગ કરવામાં થોડી મુશ્કેલી કે સમય લાગી શકે છે. , મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નાઈ જેવા મુખ્ય શહેરો 5G ઍક્સેસ મેળવનારા પ્રથમ પ્રદેશો બનવાની અપેક્ષા છે, જેમ કે રિલાયન્સ જિયો દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે, જે આ વર્ષે દિવાળી સુધીમાં આ શહેરોમાં તેની 5G યોજનાઓ લોન્ચ કરવા તૈયાર છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">