PAN-Aadhar Link: આધાર -પાન કાર્ડને લિંક કરવાની મુદ્દત 3 મહિના વધારાઈ, 30 સપ્ટેમ્બર સુધીમાં કરી શકશો લિંક
PAN-AADHAR LINK : જો તમે 1 જુલાઈ પહેલા તમારા પાનકાર્ડની આધાર સાથે લિંક નહિ કરો તો તમારું પણ કાર્ડ નિષ્ક્રિય થઇ શકે છે જે તમારી સમસ્યાઓમાં વધારો કરશે.
PAN-AADHAR LINK : 1 જુલાઈથી સરકાર કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર લાવી રહી છે. જો તમે 30 જૂન સુધીમાં તમારા પાનકાર્ડ (Pan Card)ને આધાર(Aadhar) સાથે લિંક નહિ કરો તો તમારે સમસ્યાઓનો સામનો કરવો પડશે.
આવકવેરા વિભાગે(Income Tax Department) બે દસ્તાવેજોને લિંક કરવાની અંતિમ તારીખ અગાઉ ૩૧ માર્ચ નક્કી કરી હતી જોકે કોરોના મહામારીના કારણે આ વધી ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવાઈ છે. ૧ જુલાઈથી જેમના પાન લિંક નહિ હોય તેમને 10,000 રૂપિયા દંડ ભરવો પડશે. આ સાથે તેમનો પાન નિષ્ક્રિય(Deactivate) કરવામાં આવશે.
શું સમસ્યા ઉભી થશે ? જો તમારો PAN નિષ્ક્રિય થઈ ગયો છે અને તમે તે પાન કાર્ડનો ઉપયોગ તમારા બેંક ખાતામાંથી 50,000 રૂપિયાથી વધુ ઉપાડવા માટે કરો છો તો તમારે 10,000 રૂપિયા દંડ ભરવો પડશે. આ ઉપરાંત પાનકાર્ડ વિના તમે મોટી રકમ ઉપાડી શકશો નહીં. નિષ્ક્રિય પાન દ્વારા આવા દરેક વ્યવહાર માટે તમારે દંડ ભરવો પડશે.
વેબસાઇટ દ્વારા લિંક કેવી રીતે કરી શકાય ? >> પ્રથમ આવકવેરા વેબસાઇટ પર જાઓ >> આધાર કાર્ડમાં આપેલ નામ, પાન નંબર અને આધાર નંબર દાખલ કરો >> આધારકાર્ડમાં જન્મના વર્ષનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે ટિક કરો >> હવે કેપ્ચા કોડ દાખલ કરો >> હવે Link Aadhaar બટન પર ક્લિક કરો >> તમારો પાન આધાર સાથે જોડવામાં આવશે.
SMS દ્વારા PANને આધાર સાથે જોડવાની રીત આ માટે તમારે તમારા ફોન પર UIDPAN ટાઇપ કરવું પડશે. આ પછી 12-અંકનો આધાર નંબર અને પછી 10-અંકનો પાન નંબર લખો. હવે step 1 માં ઉલ્લેખિત સંદેશને 567678 અથવા 56161 પર મોકલો.
Deactive PAN કેવી રીતે ઓપરેટીવ કરી શકાય નિષ્ક્રીય પાન કાર્ડ ઓપરેટિવ કરી શકાય છે. આ માટે તમારે એક SMS કરવો પડશે. તમારા રજિસ્ટર્ડ મોબાઈલમાંથી 12-અંકનો પાન નંબર દાખલ કર્યા પછી તમારે 10 અંકનો આધાર નંબર દાખલ કરવો પડશે અને મેસેજ 567678 અથવા 56161 પર મોકલવો પડશે.