ભરૂચમાં ધાર્મિક સંસ્થા આવી લોકોની મદદે, જળ સંચયથી ઉકેલી પાણીની સમસ્યા

  સુવ્યવસ્થિત આયોજનના અભાવે, આપણી સામે ચોમાસા દરમ્યાન પાણીના નિકાલની સમસ્યા સર્જાય છે. તો બાકીના સમયમાં પિવા અને સિંચાઈના પાણીની સમસ્યા સર્જાય છે.  પાણીની આ સમસ્યાનો ઉકેલ લાવી છે,  ભરૂચની એક ધાર્મિક સંસ્થા. વરસાદી પાણીના સંચયની અલાયદી વ્યવસ્થા ઉભી કરી એક વર્ષ સુધી એક બે નહિ પરંતુ ૧૦૦ લોકો માટે પીવાના પાણીની અને 10 વીંઘા […]

ભરૂચમાં ધાર્મિક સંસ્થા આવી લોકોની મદદે, જળ સંચયથી ઉકેલી પાણીની સમસ્યા
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 19, 2020 | 4:39 PM

સુવ્યવસ્થિત આયોજનના અભાવે, આપણી સામે ચોમાસા દરમ્યાન પાણીના નિકાલની સમસ્યા સર્જાય છે. તો બાકીના સમયમાં પિવા અને સિંચાઈના પાણીની સમસ્યા સર્જાય છે.  પાણીની આ સમસ્યાનો ઉકેલ લાવી છે,  ભરૂચની એક ધાર્મિક સંસ્થા. વરસાદી પાણીના સંચયની અલાયદી વ્યવસ્થા ઉભી કરી એક વર્ષ સુધી એક બે નહિ પરંતુ ૧૦૦ લોકો માટે પીવાના પાણીની અને 10 વીંઘા ખેતી માટે આખું વર્ષ મીઠું, શુદ્ધ અને પ્રદુષણ મુક્ત પાણી મળે તેવી વ્યવસ્થા ઉભી કરી છે.

Accumulation of rain water

ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ

નર્મદા ડેમ તેની મહત્તમ ઊંચાઈ ઉપર પહોંચ્યા બાદ, નર્મદા નદીના ડાઉન સ્ટ્રિમમાં પાણીનો પ્રવાહ ઘટવાથી, સમુદ્રના ખારાપાણી ભરૂચ સુધી ઘુસી આવવાની સમસ્યા સર્જાય છે. નર્મદા કિનારે વસવાટ છતાં અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા ઉભી થવા લાગી છે. જેમાં નર્મદાના દક્ષિણ કિનારે આવેલ તપોવન આશ્રમ પણ, ખારા પાણીની સમસ્યાથી પિડાઈ રહ્યો હતો.

Accumulation of rain water 2

આ ધાર્મિક સંસ્થામાં સમયાંતરે આધ્યાત્મિક કાર્યક્રમ થતા રહે છે. જેમાં ભાગ લેવા મોટી સંખ્યામાં લોકો આશ્રમમાં આવતા રહે છે. તો આશ્રમની પોતાની વિશાળ ખેતી છે.  નદી ખારી થતા ભુગભ જળની ગુણવત્તા નીચી ગઈ હતી જેના કારણે આશ્રમ સંકુલમાં આવેલા પાંચ બોરવેલનું પાણી પણ ખરું મળવા લાગ્યા હતા. વિકટ બનતી સમસ્યા ઉપર દરરોજ ટેન્કરથી પાણી મંગાવવું મુશ્કેલ બનતા સંસ્થાએ એક અલાયદી વ્યવસ્થા ઉભી કરવાનું નક્કી કર્યું હતું. આશ્રમના ૩ મકાનોની છત વરસાદી પાણીને વહી જતા અટકાવી પાઈપલાઈનનું નેટવર્ક તૈયાર કરી એક જગ્યાએ એકત્રિત કરવામાં આવ્યું. વરસાદી પાણી સાથે કચરું અને ગંદકી સ્ટોરેજ ટેન્કમાં ન ભળે તે માટે એક ફિલ્ટર ચેમ્બરમાંથી પાણી પસાર કરી ૧ .૨૫ લાખ લીટર પાણીને સ્ટોરેજ કરવાની શરૂઆત કરવામાં આવી છે.

Accumulation of rain water 3

તપોવન આશ્રમના સ્વયંસેવક કમલેશ પટેલએ જણાવ્યું હતું કે ત્રણ વર્ષ અગાઉ પાણીની વિકટ સમસ્યા હતી. દરિયાનું પાણી નર્મદાના મીઠાજળને ધકેલી દેવાથી ખારાશ ફેલાઈ હતી. ૧.૨૫ લાખ લીટર પાણી સ્ટોર કરી સંસ્થાએ માત્ર ૧૦૦ લોકોની પીવાની અને ૧૦ વીંઘા ખેતીની સમસ્યા હલ કરી છે. ૧૦૦ લોકો માટે પીવા , રસોઈ અને ઉનાળામાં ખેતી માટે પર્યાપ્ત પાણી સંગ્રહ થઇ જતા સંસ્થાની પાણીની સમસ્યા દૂર થઈ છે. ચોમાસામાં હજારો લીટર પાણી આકાશમાંથી વરસતું હોય છે. સ્ટોરેજ કેપેસીટી પૂરતો સવા લાખ લીટર પાણીનો જથ્થો સ્ટોર થયા બાદ વધારાનું પાણી વહાવી ન દઈ ૫ બોરવેલ રિચાર્જ કરવામાં આવી રહ્યા છે. ત્રણ વર્ષના સતત પ્રયાસ બાદ સંસ્થાના ખારા થયેલા બોરવેલનું પાણી પણ મીઠું મળવા લાગ્યું છે.

Accumulation of rain water 4

તપોવન આશ્રમના અધ્યક્ષ નાયારણસ્વામી અનુસાર આશ્રમમાં યોજાતી શિબિરોમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેવા પહોંચે છે આશ્રમના ૫ બોર ખરા થી જતા સમસ્યા ઉભી થઇ હતી પરંતુ વરસાદી પાણીના સંચયથી બોર રિચાર્જ કરવાનું શરુ કરતા ૩ વર્ષ પછી બોરનું પાણી પણ મીઠું થઇ ગયું છે. જળસંચયથી પાણીની વિકટ સમસ્યા ન માત્ર હલ કરાઈ છે કરાઈ છે પરંતુ સાથેસાથે ભુગભજળની ગુણવત્તા પણ સુધારી શકાઈ છે ત્યારે તપોવન આશ્રમના સફળ પ્રયોગને અપનાવી પાણીની સમસ્યાનો કાયમી હલ મળી શકે તેમ છે.

Latest News Updates

રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
g clip-path="url(#clip0_868_265)">