ધસમસતા નીર અને તેજ પ્રવાહ માટે જાણીતી ગુજરાતની જીવાદોરી નર્મદા, હવે પગપાળા ઓળંગતા લોકો નજરે પડયા
સમગ્ર ગુજરાતની પાણીની સમસ્યા હલ કરનાર નર્મદા હવે પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહી છે. ડાઉન સ્ટ્રીમમાં પાણી નહિ છૂટવાના કારણે બે કાંઠે વહેતી નર્મદા હવે માત્ર એક સર્પાકાર રેલામાં પરિવર્તિત થઇ ગઈ છે. રેવાનાં આજે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. પોણા બે કિલોમીટરનો સ્પાન અને બે કાંઠે વહેતી નર્મદાને આજે કેટલાક લોકો ચાલીને ઓળંગતા નજરે […]
સમગ્ર ગુજરાતની પાણીની સમસ્યા હલ કરનાર નર્મદા હવે પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહી છે. ડાઉન સ્ટ્રીમમાં પાણી નહિ છૂટવાના કારણે બે કાંઠે વહેતી નર્મદા હવે માત્ર એક સર્પાકાર રેલામાં પરિવર્તિત થઇ ગઈ છે. રેવાનાં આજે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. પોણા બે કિલોમીટરનો સ્પાન અને બે કાંઠે વહેતી નર્મદાને આજે કેટલાક લોકો ચાલીને ઓળંગતા નજરે પડયા હતા. ભરૂચ નજીક કેટલાક વિસ્તારોમાં નર્મદાનો પ્રવાહ માત્ર 100-200 મિત્ર જેટલો બચ્યો છે. જયારે ઠેકઠકાણે બેટ ઉપસી આવ્યા છે.
ચૂંટણી નજીક હોવાથી મામલો રાજકીય બની રહ્યો છે. કોંગ્રેસ આ પરિસ્થિતિને સરકારની ખોટી નીતિનું પરિણામ ગણાવી રહી છે તો ભાજપ ટૂંકા સમયગાળામાં નર્મદા ફરી જીવંત કારની કામગીરી ચાલી રહી હોવાના વાયદા કરી રહ્યું છે. કોંગેસના અગ્રણી કિરણ ઠાકોર આ બદતર પરિસ્થિતિને સરકારની ખોટી નીતિનું પરિણામ જણાવી રહ્યા છે તો સમસ્યા હલ કરવા સરકાર ચિંતિત હોવાનું જણાવી ટૂંક સમયમાં સમસ્યા હાલ કરવા ઉપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા આશ્વાસન આપી રહ્યા છે.
અસ્તિત્વ ગુમાવી રહેલી નર્મદાના કારણે તેના ઉપર આધારિત ખેતી , મત્સ્ય ઉદ્યોગ અને દેશનો સૌથી મોટો રસાયણ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો જ છે પરંતુ આજ પરિસ્થિતિ રહે તો મુખ પ્રદેશમાં ગંભીર જળસંકટ સર્જાય તો નવાઈ નહિ.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]