કોરોના વકરતા ભરુચનું એકમાત્ર કોવીડ સ્મશાન નાનું પાડવા લાગ્યું, સ્મશાનમાં સુવિધા નહીં વધારાય તો કામ છોડવાની સંચાલકે ચીમકી આપી
ભરૂચ સ્થિત એકમાત્ર કોવીડ-19 સ્મશાન નાનું પાડવા લાગ્યું છે. પોઝિટિવ કેસની વધતી સંખ્યા સાથે કોવીડ સારવાર દરમ્યાન મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા પણ ચિંતાજનક સ્તરે વધતા સ્મશાન નાનું પડી રહ્યું છે. એક દિવસમાં સ્મશાનમાં ૫થી લઈ ૧૦ મૃતદેહની અંતિમક્રિયાની ઉભી થતી જરૂર સામે માત્ર બે ચિતા અને નાનો શેડ હોવાથી સ્મશાન સંચાલક અને તેના કર્મચારીઓને તકલીફ […]
ભરૂચ સ્થિત એકમાત્ર કોવીડ-19 સ્મશાન નાનું પાડવા લાગ્યું છે. પોઝિટિવ કેસની વધતી સંખ્યા સાથે કોવીડ સારવાર દરમ્યાન મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા પણ ચિંતાજનક સ્તરે વધતા સ્મશાન નાનું પડી રહ્યું છે. એક દિવસમાં સ્મશાનમાં ૫થી લઈ ૧૦ મૃતદેહની અંતિમક્રિયાની ઉભી થતી જરૂર સામે માત્ર બે ચિતા અને નાનો શેડ હોવાથી સ્મશાન સંચાલક અને તેના કર્મચારીઓને તકલીફ પડી રહી છે.
તંત્રને એક પત્ર પાઠવી સ્મશાન સંચાલક ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે સ્મશાનનો શેડ ખુબ નાનો છે અને માત્ર બે ચિતા છે ત્યારે બે થી વધુ મૃતદેહ અંતિમક્રિયા માટે લવાય તો ખુલ્લા મેદાનમાં અંતિમક્રિયા કરવી પડે છે. સુવિધા વિના કરાતી અંતિમક્રિયાઓથી પીપીઈ કીટ ફાટવાનો અને અગ્નિદાહ માટે સમસ્યાઓ ઉભી થતી હોવાનો ભય વ્યક્ત કરાયો હતો. ધર્મેશે જણાવ્યું હતું કે કોવીડ સ્મશાનમાં સુવિધા નહિ વધારાય તો તે કામ છોડી શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સ્મશાન સંચાલકની ચીમકીના પગલે ભરૂચ નગર પાલિકા તંત્ર દોડતું થયું છે. ચીફ એન્જીનીયર સલીમ દરોગ અને ચીફ ઓફિસર સંજય સોનીએ સ્મશાન સંચાલકને સુવિધાઓ ઉભી કરવા આશ્વાસન આપી સમસ્યા ટાળવા પ્રયાસો શરુ કર્યા છે .
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો