વિશ્વ કપમાં ભારતીય ટીમ માટે ખુશીના સમાચાર, આ તોફાની ખેલાડી થઈ ગયો ફિટ
ઈંગ્લેન્ડમાં રમાયેલી રહેલા ક્રિકેટ વિશ્વ કપમાં ભારતીય ટીમને એક પછી એક સતત મોટા ઝટકાઓ લાગી રહ્યાં છે. સતત ટીમના ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ રહ્યાં છે. સૌપ્રથમ તોફાની બેટ્સમેન શિખર ધવન, ત્યારબાદ ફાસ્ટ બોલર્સ ભૂવનેશ્વર કુમાર પણ ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ વિજય શંકરને પણ ઈજા થઈ હતી પણ હવે વિરાટ સેના માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. […]
ઈંગ્લેન્ડમાં રમાયેલી રહેલા ક્રિકેટ વિશ્વ કપમાં ભારતીય ટીમને એક પછી એક સતત મોટા ઝટકાઓ લાગી રહ્યાં છે. સતત ટીમના ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ રહ્યાં છે. સૌપ્રથમ તોફાની બેટ્સમેન શિખર ધવન, ત્યારબાદ ફાસ્ટ બોલર્સ ભૂવનેશ્વર કુમાર પણ ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ વિજય શંકરને પણ ઈજા થઈ હતી પણ હવે વિરાટ સેના માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે.
ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે કહ્યું કે ઓલરાઉન્ડર ખેલાડી વિજય શંકર ઈજાગ્રસ્ત નથી. પ્રેક્ટિસ દરમિયાન બુમરાહનો એક યોર્કર બોલ વિજય શંકરના પગમાં વાગ્યો હતો. ત્યારબાદ બુમરાહે જણાવ્યું કે શંકરને લઈને કોઈ ચિંતાની કોઈ વાત નથી. બુમરાહે કહ્યું કે આ દુખની વાત છે કે વિજય શંકર મારા બોલ પર ઈજાગ્રસ્ત થઈ ગયા પણ તે હાલમાં પુરી રીતે ફીટ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ઉલ્લેખનીય છે કે શિખર ધવન ઈજાના કારણે વિશ્વ કપમાંથી બાહર થઈ ગયા છે. ત્યારે ભૂવનેશ્વર કુમાર પણ ઈજાના કારણે 2-3 મેચ માટે બાહર છે. મેચ પહેલાની તૈયારીને લઈને બુમરાહે કહ્યું કે મારા માટે સૌથી સારી તૈયારી બોલિંગ કરવી છે અને હું તે કરી રહ્યો છુ. અમે કોઈ પણ ટીમને સરળતાથી નથી લઈ રહ્યાં. અમે બધી જ ટીમને એક જ રીતે લઈ રહ્યાં છે.
આ પણ વાંચો: રાહુલ ગાંધીએ એક ટ્વિટ કર્યું અને ભાજપ-કોંગ્રેસ વચ્ચે સોશિયલ મીડિયામાં યુદ્ધ છેડાઈ ગયું!
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]