છત્તીસગઢના નકસલી હુમલામાં શહિદ જવાનોને લઈ વિરાટ કોહલી અને સુરેશ રૈના દુ:ખી, જવાબની આશા દર્શાવી

છત્તીસગઢના સુકમા-બીજાપુરમાં થયેલા હુમલાને લઈને ભારતીય ક્રિકેટ ટીમ (Team India) પણ ગમગમીન બની ચુકી છે. નકસલી હુમલામાં 22 જવાનો શહિદ થવાને લઈ ટીમ ઈન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)થી લઈને સુરેશ રૈના (Suresh Raina) સુધીના ક્રિકેટર દુ:ખી છે. 

છત્તીસગઢના નકસલી હુમલામાં શહિદ જવાનોને લઈ વિરાટ કોહલી અને સુરેશ રૈના દુ:ખી, જવાબની આશા દર્શાવી
Virat Kohli
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 04, 2021 | 8:23 PM

છત્તીસગઢના સુકમા-બીજાપુરમાં થયેલા હુમલાને લઈને ભારતીય ક્રિકેટ ટીમ (Team India) પણ ગમગમીન બની ચુકી છે. નકસલી હુમલામાં 22 જવાનો શહિદ થવાને લઈ ટીમ ઈન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)થી લઈને સુરેશ રૈના (Suresh Raina) સુધીના ક્રિકેટર દુ:ખી છે.  IPLની તૈયારીઓમાં મશગૂલ રહેલા આ ક્રિકેટરોને જ્યારે આ દુ:ખદ ઘટના અંગે જાણકારી પ્રાપ્ત થતાં જ તેઓએ પોતાની પ્રતિક્રિયાઓ દ્વારા શોક વ્યક્ત કર્યો હતો. એટલુ જ નહીં આ ભારતીય ક્રિકેટર્સે નકસલીઓને વળતો જવાબ આપવાની પણ આશા દર્શાવી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ જવાનોની શહાદત પર પ્રતિક્રિયા આપી હતી. પરંતુ એ પહેલા આ દુ:ખદ ઘટના અંગે બતાવી દઈએ કે, બીજાપુરના જંગલ વિસ્તારમાં શુક્રવાર રાત્રે નકસલીઓ હોવાની જાણકારી મળી હતી. સૂચના મળવાને લઈને CRPFની કોબરા બટાલીયન DRG અને STFના સંયુક્ત દળો રાત્રે જ નકસલ વિરોધી અભિયાન માટે રવાના થઈ ચુક્યા હતા. આ મિશનમાં લગભગ 2,000 જેટલા જવાનો જોડાયા હતા.

નક્સલી હુમલામાં 22 જવાન શહિદ, 30 ઘાયલ છત્તીસગઢના નકસલ વિરોધી અભિયાનના પોલીસ ઉપ મહાનિરીક્ષક ઓપી પાલે બતાવ્યુ હતુ કે, શનિવાર બપોરે લગભગ 12 વાગ્યે બીજાપુર-સુકમા જિલ્લાની સીમા પર જોનાગુડા ગામ નજીક સુરક્ષાબળો અને નક્સલીઓ વચ્ચે મુઠભેડ થઈ હતી. જે લગભગ ત્રણેક કલાકથી વધારે સમય ચાલી હતી. જેમાં CRPFના 22 જવાન શહિદ થયા છે. જ્યારે 30 જેટલા જવાનો ઘાયલ થયા છે.

વિરાટ અને રૈનાએ દર્શાવ્યુ દુ:ખ વિરાટ કોહલી અને સુરેશ રૈના પણ જંગલમાં ઘટેલી આ ઘટનાને લઈને દુ:ખી છે. વિરાટે ટ્વીટ કરીને 22 જવાનોને શહિદ હોવાને લઈને દુ:ખ દર્શાવ્યુ હતુ, શહિદના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી તો સુરેશ રૈનાએ પણ તેમને દેશભક્ત દર્શાવતા એ વાતની આશા વ્યક્ત કરી હતી કે, આ ઘટના પાછળનાઓને બક્ષવામાં નહી આવે.

https://twitter.com/ImRaina/status/1378675569634725889?s=20

આ પણ વાંચો: IPl 2021: CSK ના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો આ છે વફાદાર બેટ્સમેન, બેટીંગ અને ફીલ્ડીંગમાં છે જબરદસ્ત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">