IPLમાં સામેલ થવા માટે ખેલાડીએ આ રીતે પ્રક્રિયા અનુસરવી પડશે, BCCI એ ઘડ્યા નવા નિયમો
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની પ્રસિદ્ધ ટુર્નામેન્ટ IPL ની વર્તમાન વર્ષની સીઝનના આયોજનની તૈયારીઓ શરુ થઇ રહી છે. IPL માટે ખેલાડીઓના થનારા ઓક્શન (Auction) ને લઇને પણ BCCI કાર્યવાહી શરુ કરી દીધી છે. IPL માં ખેલાડીઓના મીની ઓક્શન ને લઇને નિયમો ચુસ્ત કર્યા છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની પ્રસિદ્ધ ટુર્નામેન્ટ IPL ની વર્તમાન વર્ષની સીઝનના આયોજનની તૈયારીઓ શરુ થઇ રહી છે. IPL માટે ખેલાડીઓના થનારા ઓક્શન (Auction) ને લઇને પણ BCCI કાર્યવાહી શરુ કરી દીધી છે. IPL માં ખેલાડીઓના મીની ઓક્શન ને લઇને નિયમો ચુસ્ત કર્યા છે. આઇપીએલ ઓક્શન આગામી ફેબ્રુઆરી માસના બીજા સપ્તાહમાં થવાનો અંદાજ છે. જોકે આ માટે હજુ સત્તાવાર રીતે BCCI એ તારીખ એલાન કરી નથી.
બીસીસીઆઇએ આઇપીએલ ની 2021 ની સીઝન માટે થનારા ઓક્શનમાં સામેલ થનારા ખેલાડીઓ માટે નિયમો જારી કર્યા છે. બીસીસીઆઇએ કહ્યુ કે, જો કોઇ ખેલાડીએ વ્યક્તિગત રીતે ઓકશનમાં સામેલ થવુ હશે તો તે સીધો જ રાજ્ય સંઘને જાણકારી આપશે. આ માટે કોઇ પણ સ્થિતીમાં ખેલાડીના એજન્ટને વાત કરવામાં નહી આવે.
ફેંન્ચાઇઝી જે ખેલાડીઓને રિટેન કરવા ઇચ્છતી હશે, તેની સુચી 20 જાન્યુઆરી સુધીમાં કોઇ પણ સંજોગોમાં આપી દેવી પડશે. જે ખેલાડીઓની સાથે કોઇ જ કરાર કરવામાં આવ્યો નથી, તેઓ 4 ફેબ્રુઆરી સુધીમાં પોતાની દાવેદારી રજૂ કરી શકશે. રાજ્ય સંઘોને કહેવામાં આવ્યુ છે કે, તેઓ કોઇ ખેલાડીને હરાજીમાં સામેલ કરવા ઇચ્છે છે તો ઔપચારીકતા સાથે મોકલી આપે.
બીસીસીઆઇ એ ઓક્શનમાં ભાગ લેવા માટે ઇચ્છુક અંડર-19 ખેલાડીઓને માટે પણ કેટલીક શર્તો રાખી છે. તેવા તમામ ખેલાડીએ રાજ્ય સંઘો સાથે માન્યતા પ્રાપ્ત હોવો જોઇએ. ખેલાડી ઓછામાં ઓછી એક પ્રથમ શ્રેણી અથવા લિસ્ટ એ મેચ રમી ચુક્યો હોવો જોઇએ. બોર્ડ એ ઘરેલુ ક્રિકેટમાં સંન્યાસ લઇ ચુકેલા અનકેપ્ડ ખેલાડીઓ માટે શર્ત રાખી છે. જેમાં ખેલાડી ઓક્શનમાં ભાગ લેવા ઇચ્છે છે તો, નિવૃત્તી સંબંધીત દસ્તાવેજ રાજ્ય સંઘથી મેળવીને રજૂ કરવાના રહેશે.