T20 World Cup 2021 : ટીમ ઈન્ડિયાની હાર પર શોએબ અખ્તરનું મોટું નિવેદન, કહ્યું, વિચારો કે તમારે ઈન્સ્ટાગ્રામ પર ક્રિકેટ રમવું છે કે મેદાન પર
ટી-20 વર્લ્ડ કપમાં રવિવારે ન્યૂઝીલેન્ડે પોતાની બીજી મેચમાં ભારતીય ટીમને આઠ વિકેટે હરાવી હતી.
T20 World Cup 2021 : ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયા (Team India) ની હારથી માત્ર ભારતીય ચાહકો જ નહીં પરંતુ પાડોશી દેશના દિગ્ગજ ખેલાડીઓ પણ નિરાશ છે. ભારતીય ટીમ આ રીતે કિવી ટીમ સામે ઘૂંટણિયે પડી જશે તેવી કોઈને અપેક્ષા નહોતી. T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021)ની સેમીફાઈનલમાં પહોંચવા માટે ટીમ ઈન્ડિયાએ કોઈપણ કિંમતે આ મેચ જીતવી હતી, પરંતુ તે આ મેચ આઠ વિકેટથી હારી ગઈ હતી. ટીમ ઈન્ડિયાની બોલિંગ અને બેટિંગ બંને ફ્લોપ દેખાઈ રહી છે.
ટીમ ઈન્ડિયાની હાર બાદ પાકિસ્તાનના પૂર્વ બોલર શોએબ અખ્તરે (Shoaib Akhtar) નારાજગી વ્યક્ત કરી છે. તેણે ભારતીય ખેલાડીઓને ઈન્સ્ટાગ્રામ (Instagram) પર ક્રિકેટ રમવું છે કે, મેદાન પર તે અંગે વિચારવાની સલાહ આપી. શોએબ અખ્તર સિવાય શાહિદ આફ્રિદીએ પણ ટીમ ઈન્ડિયા (Team India)ની હાર પર ટ્વિટ કર્યું હતું. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટને પોતાના ટ્વીટમાં કહ્યું કે ભારતીય ટીમનું સેમીફાઈનલમાં પહોંચવું હવે એક ચમત્કાર હશે.
શોએબે ટીમ ઈન્ડિયાના પ્રદર્શનને નિરાશાજનક ગણાવ્યું હતું
શોએબ અખ્તરે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, જેમ કે મેં મેચ પહેલા કહ્યું હતું અને લાંબા સમયથી કહી રહ્યો હતો કે જો ન્યુઝીલેન્ડ ટોસ જીતશે તો ભારત માટે તે ખૂબ મુશ્કેલ હશે, એવું જ થયું. આજે ભારતની ટીમ ખૂબ જ ખરાબ રીતે રમી અને તેનું પ્રદર્શન ખૂબ જ ખરાબ હતું. મને ક્યારેય લાગ્યું નથી કે તે કોઈપણ સમયે મેચમાં છે, તે ખૂબ જ દબાણમાં જોવા મળી હતી, ટીમ ઈન્ડિયા (Team India) એ જે રીતે મેચ રમી તેનાથી ખૂબ જ દુઃખ થયું.
શાહિદ આફ્રિદીએ પણ મસ્તી કરી
શાહિદ આફ્રિદીએ ભારત Vs ન્યુઝીલેન્ડ મેચ બાદ ટ્વીટ કર્યું, ભારત પાસે હજી પણ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થવાની તક છે પરંતુ તેઓએ આ ઇવેન્ટમાં તેમની બે મોટી મેચ કેવી રીતે રમી છે, તેમને ચમત્કાર સિવાય ક્વોલિફાય થતા જોઈને કંઈ થશે નહીં. બાબર આઝમ એન્ડ કંપનીએ વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું હતું, પરંતુ કેન વિલિયમસનની ટીમે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાને હરાવીને તેની બીજી મેચમાં વાપસી કરી લીધી છે.