સાઉથ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાનું એલાન, આ 3 દિગ્ગજ ખેલાડીને મળ્યો મોકો
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વન ડે સીરીઝ માટે ભારતીય ટીમનું એલાન થઈ ગયું છે. 3 મેચની સીરીઝ 12 માર્ચથી શરૂ થઈ રહી છે અને ભારતીય ટીમનું ખરાબ પ્રદર્શન ચાલી રહ્યું છે તેની અસર ટીમના સિલેકશન પર પણ પડી છે. ભારતીય ટીમમાં 3 દિગ્ગજ ખેલાડીઓને ફરીથી મોકો મળ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વન ડે સીરીઝ માટે ભારતીય ટીમનું એલાન થઈ ગયું છે. 3 મેચની સીરીઝ 12 માર્ચથી શરૂ થઈ રહી છે અને ભારતીય ટીમનું ખરાબ પ્રદર્શન ચાલી રહ્યું છે તેની અસર ટીમના સિલેકશન પર પણ પડી છે. ભારતીય ટીમમાં 3 દિગ્ગજ ખેલાડીઓને ફરીથી મોકો મળ્યો છે.
આ પણ વાંચો : થપ્પડ ફિલ્મ: Twitter પર અનુભવ સિન્હાને આવ્યો ગુસ્સો, અપશબ્દો લખ્યા બાદ માગી માફી
કયા 3 ખેલાડીઓને મળ્યો મોકો? સાઉથ આફ્રિકાની સામે વનડે મેચમાં 3 દિગ્ગજ ખેલાડીઓને ઉતારવામાં આવ્યા છે અને ટીમ ફરીથી ફોર્મમાં આવે તેવી આશા રાખવામાં આવી રહી છે. જેને લઈને ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર, બેટસમેન શિખર ધવન અને હાર્દિક પંડ્યાની પસંદગી ટીમમાં કરવામાં આવી છે. રોહિત શર્મા માટે એવું માનવામાં આવી રહ્યું હતું કે પરિસ્થિતિને લીધે તેમને ટીમમાં સ્થાન મળી શકે છે. જો કે સાઉથ આફ્રિકા સામેની મેચમાં રોહિત શર્માની પસંદગી ઈજાના લીધે કરાઈ નથી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
કોણ કોણ ટીમમાં સામેલ? શિખર ધવન, પૃથ્વી શૉ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, મનીષ પાંડે, શ્રેય્યસ અય્યર, આર પંત, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની અને કુલદીપ યાદવ.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]