Team India: પૃથ્વી શો બહાર થઇ જતા પ્રવિણ આમ્રેએ કહ્યું તેને મદદની જરુર
ભારતીય ક્રિકેટ ટીમના યુવા ઓપનર પૃથ્વી શો (Prithvi Show) એ ખરાબ ફોર્મને કારણે ઇંગ્લેંડ (England) સામેની ટેસ્ટ સિરીઝ માટે પસંદ કરેલી ટીમમાં સ્થાન મળી શક્યુ નથી. ઓસ્ટ્રેલીયા સામે પ્રથમ ટેસ્ટ મેચની બંને પારીમાં એક જ રીતે બોલ્ડ થયા બાદ તેને ટીમની થી બહાર કરી દેવામાં આવ્યો હતો.
Team India: ભારતીય ક્રિકેટ ટીમના યુવા ઓપનર પૃથ્વી શો (Prithvi Show) એ ખરાબ ફોર્મને કારણે ઇંગ્લેંડ (England) સામેની ટેસ્ટ સિરીઝ માટે પસંદ કરેલી ટીમમાં સ્થાન મળી શક્યુ નથી. ઓસ્ટ્રેલીયા સામે પ્રથમ ટેસ્ટ મેચની બંને ઈનીંગમાં એક જ રીતે બોલ્ડ થયા બાદ તેને ટીમની થી બહાર કરી દેવામાં આવ્યો હતો. પૂર્વ ભારતીય ક્રિકેટર પ્રવિણ આમ્રે (Praveen Amre) માને છે કે પૃથ્વી શોને મદદની જરુર છે.
મિડ ડે સાથે વાત ચીત કરતા આમરે એ કહ્યુ હતુ કે, તેઓ પૃથ્વી શો ને ઘણા દિવસો થી જાણે છે, આ પહેલા પણ સાથે કામ કરી ચુક્યા છે. હું પૃથ્વી શોને એર ઇન્ડીયાના દિવસો થી જાણુ છુ. જે કારણે અમારો સંબંધ પણ સારો થયો હતો. અમે એ વાતને જાણવાની કોશિષ કરી રહ્યા છીએ કે તેમને કઇ વસ્તુની જરૂરીયાત છે. ત્યાર બાદ જ બતાવી શકાશે તેણે શુ કરવુ જોઇએ. મને એમ લાગે છે કે, પૃથ્વી શોને મદદની જરુર છે. હવે જ્યારે ફર્સ્ટ ક્લાસ મેચ નથી રહી તો, અમે મર્યાદિત ઓવરો થી કામ કરવાની શરુઆત કરીશુ. એક વાર જયારે તે બબલમાં આવે છે, ચાહે તે મુંબઇની રણજી ટીમ હોય કે વિજય હજારે, તો પછી અમારી પાસે કામ કરવાનો મોકો નહી રહી જાય.
આગળ પણ વાત કરતા કહ્યુ હતુ કે, તે જોઇને ઘણું સારુ લાગે છે કે, તે પોતાની બેટીંગને લઇને કામ કરવા માંગે છે. તેના જુના વિડીયોનુ આંકલન કરવામાં આવી રહ્યુ છે. તેની પર આ વાતનુ કોણ દબાણ નહી હોય, આ બધુ તેની સહમતી પર જ નિર્ભર કરે છે. અમે તેની કુશળતા અને ફિટનેશ પર જરુર કામ કરીશું.