BCCIએ ટીમ ઈન્ડિયાના નવા કોચ માટે અરજીઓ મંગાવી છે, દાવેદારોએ આ શરતો પૂરી કરવી પડશે
ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન કોચ રવિ શાસ્ત્રી અને તેમના સપોર્ટ સ્ટાફનો કાર્યકાળ આવતા મહિને ટી 20 વર્લ્ડ કપ સાથે સમાપ્ત થશે અને ત્યારબાદ ટીમ ઇન્ડિયાને નવો કોચિંગ સ્ટાફ મળશે.
BCCI : ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ પદ પર નવી નિમણૂક માટેની ઔપચારિક પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ માટે અરજીઓ મંગાવી છે.
17 ઓક્ટોબર, રવિવારે, BCCI (Board of Control for Cricket in India)એ ટીમ ઈન્ડિયા (Team India)ના મુખ્ય કોચ પદ માટે અરજીઓ મંગાવતી જાહેરાત બહાર પાડી. બીસીસીઆઈના જણાવ્યા અનુસાર, આ પદ માટે દાવેદારોએ 26 ઓક્ટોબર સાંજે 5 વાગ્યા સુધીમાં બીસીસીઆઈને તેમની અરજી મોકલવાની રહેશે.
🚨 NEWS 🚨: BCCI invites Job Applications for Team India (Senior Men) and NCA
More Details 🔽
— BCCI (@BCCI) October 17, 2021
આ સાથે રાહુલ દ્રવિડને કોચ બનાવવા માટે BCCI (Board of Control for Cricket in India)ના બંધારણ મુજબ ઔપચારિકતા શરૂ થઈ ગઈ છે. મુખ્ય કોચ ઉપરાંત સપોર્ટ સ્ટાફ (Support staff)માં બોલિંગ કોચ, બેટિંગ કોચ અને ફિલ્ડિંગ કોચ (Fielding coach)માટે પણ અરજીઓ મંગાવવામાં આવી છે.
BCCI ની જાહેરાત મુજબ મુખ્ય કોચ અને સપોર્ટ સ્ટાફનો કાર્યકાળ બે વર્ષનો રહેશે. આ સાથે, બોર્ડે પાત્ર ઉમેદવાર માટે ઘણી શરતો પણ મૂકી છે. આ મુજબ, મુખ્ય કોચ માટે અરજદાર પાસે ઓછામાં ઓછી 30 ટેસ્ટ મેચ અથવા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચનો અનુભવ હોવો જોઈએ. અથવા તે બે વર્ષ સુધી ICC ના સંપૂર્ણ સભ્ય દેશની રાષ્ટ્રીય ટીમના કોચ રહ્યા છે. અથવા 3 વર્ષ સુધી કોઈપણ સહયોગી ટીમ અથવા IPL ટીમ અથવા અન્ય વિદેશી લીગ અથવા ફર્સ્ટ ક્લાસ ટીમના કોચ રહ્યા છે. અથવા BCCI પાસેથી લેવલ -3 પ્રમાણપત્ર (કોચિંગ) મેળવ્યું છે. આ બધા સિવાય, નિમણૂક સમયે સંબંધિત વ્યક્તિની ઉંમર 60 વર્ષથી ઓછી હોવી જોઈએ.
આ બધા સિવાય બોર્ડે બેટિંગ, ફિલ્ડિંગ અને બોલિંગ કોચ માટે પણ અરજીઓ મંગાવી છે. આ ત્રણ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 3 નવેમ્બર સાંજે 5 વાગ્યા સુધી છે. ત્રણેય પોસ્ટ માટે અરજી કરનારા લોકો પાસે ઓછામાં ઓછી 10 ટેસ્ટ અથવા 25 વનડેનો અનુભવ હોવો જોઈએ. અન્ય તમામ શરતો મુખ્ય કોચ માટે અરજદારો માટે સમાન છે.
હાલ એનસીએના વડા છે દ્રાવિડ
હાલમાં રાહુલ દ્રાવિડ નેશનલ ક્રિકેટ એકેડમી (National Cricket Academy)ના ડાયરેક્ટર ના પદ ની જવાબદારી સંભાળી રહ્યા છે. જ્યાં તેઓ ભારતીય ક્રિકેટરોને મહત્વની મદદ નિભાવી રહ્યા છે. આ ઉપરાંત નવા અને યુવા ખેલાડીઓને માટે પણ તેઓ મહત્વની જવાબદારી નિભાવી રહ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર સુત્રો એ કહ્યુ છે કે, દ્રાવિડ હવે સહમત થઇ ચૂક્યા છે અને તેના થી શ્રેષ્ઠ અન્ય કંઇ હોઇ શકે નહી. વિક્રમ રાઠોડ બેટીંગ કોચ બની રહેશે. એમ પણ કહેવામાં આવ્યુ છે.
આ પણ વાંચો : T20 World Cup 2021: પાકિસ્તાન 4 બોલરો સાથે ભારત સામે મેદાનમાં ઉતરશે! બાબર આઝમે નામોની જાહેરાત કરી