IND vs SL: ગુવાહાટીના ક્રિકેટ મેચમાં દર્શકો આ વસ્તુ લઈ જઈ શકશે નહીં, જાણો કેમ આવો પ્રતિબંધ?
રવિવારથી ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 સીરીઝ શરુ થઈ રહી છે. ભારતભરમાં સીએએ કાયદાને લઈને વિરોધ પ્રદર્શન યથાવત છે ત્યારે મેચ દરમિયાન પણ બેનર અને પોસ્ટર્સ લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જો કે આધિકારીક રીતે કાયદાના વિરોધના કારણે આ મનાઈ ફરમાવવામાં આવી છે તેવું કહેવામાં આવ્યું નથી. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]
રવિવારથી ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 સીરીઝ શરુ થઈ રહી છે. ભારતભરમાં સીએએ કાયદાને લઈને વિરોધ પ્રદર્શન યથાવત છે ત્યારે મેચ દરમિયાન પણ બેનર અને પોસ્ટર્સ લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જો કે આધિકારીક રીતે કાયદાના વિરોધના કારણે આ મનાઈ ફરમાવવામાં આવી છે તેવું કહેવામાં આવ્યું નથી.
આ પણ વાંચો : કચ્છ માંડવીના ફરાદી ગામના તલાટી અને પોલીસ વચ્ચે ઝપાઝપી, CCTVમાં કેદ થઈ ઘટના
અસમમાં પહેલાથી વિરોધ પ્રદર્શન યથાવત છે અને ટી20 સીરીઝનો પ્રથમ મેચ ગુવાહાટી ખાતે રાખવામાં આવ્યો છે. ભારત અને શ્રીલંકાનો મેચ જોવા આવનારા લોકોની ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે. મેચમાં કોઈ ઘટના ના ઘટે તે માટે ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
પોસ્ટર્સ-બેનર્સ તો ઠીક પાણી પણ લઈ જવાની મનાઈ
રવિવારના રોજ પ્રથમ ટી-20 મેચમાં ભારત અને શ્રીલંકા એકબીજાની સાથે ટકરાશે. ભારે સુરક્ષાના લીધે બેનર પોસ્ટર્સ અને માર્કર પણ લઈ જવાની પરવાનગી આપવામાં આવી નથી. લોકોએ પાણી પણ અંદર લઈ જઈ શકશે. ખાદ્યપદાર્થો દર્શકોએ અંદર જઈને ખરીદવાના રહેશે. આમ બોર્ડ દ્વારા ભલે કહેવામાં આવી રહ્યું હોય કે સીએએ કાયદાને લઈને બેનર પોસ્ટર્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી જો કે લોકો માની રહ્યાં છે કે વિરોધ પ્રદર્શન ક્રિકેટના સ્ટેડિયમ સુધી ના પહોંચે તે માટે જ આ તકેદારી રાખવામાં આવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]