T-20: સૂર્યકુમાર યાદવે જો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવી હોય તો અમારા દેશ તરફથી રમી શકે છે, પુર્વ ક્રિકેટરે કર્યુ ટ્વીટ
26 ઓક્ટોબરે ભારતીય ટીમના ઓસ્ટ્રેલીયા પ્રવાસ ને લઇને ટીમનુ એલાન કરવામાં આવ્યુ હતુ. જેમાં વિરાટ કોહલીની કેપ્ટનશીપ વાળી ટીમે ક્રિકેટના ત્રણેય ફોર્મેટ ની સીરીઝ રમવાની છે. આ પ્રવાસમાં મુંબઇ ઇન્ડિયન્સ ના બેટ્સમેન સૂર્યકુમાર યાદવની પસંદગી કરવામાં આવી નથી. આવામાં દરેક લોકો પસંદગી સમિતિ પર સવાલો ઉઠાવી રહ્યા છે. ત્યાં સુધી કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ […]
26 ઓક્ટોબરે ભારતીય ટીમના ઓસ્ટ્રેલીયા પ્રવાસ ને લઇને ટીમનુ એલાન કરવામાં આવ્યુ હતુ. જેમાં વિરાટ કોહલીની કેપ્ટનશીપ વાળી ટીમે ક્રિકેટના ત્રણેય ફોર્મેટ ની સીરીઝ રમવાની છે. આ પ્રવાસમાં મુંબઇ ઇન્ડિયન્સ ના બેટ્સમેન સૂર્યકુમાર યાદવની પસંદગી કરવામાં આવી નથી. આવામાં દરેક લોકો પસંદગી સમિતિ પર સવાલો ઉઠાવી રહ્યા છે. ત્યાં સુધી કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઇ પણ સવાલોના ઘેરામાં છે. જોકે એક પુર્વ ક્રિકેટરે કહ્યુ છે કે જો તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવી હોય તો તે ન્યુઝિલેન્ડ તરફથી રમી શકે છે.
છેલ્લા ત્રણ વર્ષ થી સતત ટી-20 લીગની સાથે સાથે ઘરેલુ ક્રિકેટમાં પણ શાનદાર પ્રદર્શન કરતો આવી રહ્યો છે યાદવ. જોકે આમ છતાં પણ તેને એક પણ વાર ભારતીય ટીમમા પસંદ કરવામાં આવતો નથી. હવે જ્યારે ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે પણ જ્યારે ટીમનુ એલાન થયુ તો તેમાં પણ તેનુ નામ અગાઉની માફક જોવા મળ્યુ નહી. આવા સમયે હવે ન્યુઝિલેન્ડના પુર્વ દિગ્ગજ ક્રિકેટર સ્કોટ સ્ટાઇરીસે ટ્વીટ કરતા કહ્યુ હતુ કે, જો તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવામાં દિલચસ્પી હોય તો તે કીવી ટીમ તરફ થી રમી શકે છે. જોકે તે વાત તેમણે એક મજાકીયા લહેકામાં કહી છે.
સ્કોટ સ્ટાઇરીસે ટ્વીટ કરતા જ લખ્યુ હતુ કે, મને આશ્વર્ય છે કે જો સુર્યકુમાર યાદવને આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાનુ પસંદ છે, તો તે વિદેશ જઇને ન્યુઝિલેન્ડના માટે રમી શકે છે. બતાવી દઇએ કે આના પહેલા મુંબઇ ઇન્ડિયન્સ ના હંગામી કેપ્ટન કિરોન પોલાર્ડએ પણ બતાવ્યુ હતુ કે, યાદવનુ સીલેકશન નહી થવાને લઇને નિરાશ છે. તો વળી હરભજનસિંહ, વિરેન્દ્ર સહેવાગ, આકાશ ચોપડા અને દિલીપ વેંગસકર જેવા દિગગ્જોએ પણ બીસીસીઆઇ ને યાદવની પસંદગીની બાબતે સવાલો કર્યા છે.
I wonder if Suryakumar Yadav fancies playing International cricket he might move overseas #CoughNZCough
— Scott Styris (@scottbstyris) October 28, 2020
બેટ્સમેન સુર્યકુમાર યાદવની ટી-20 લીગની 2020 ની સિઝન માટેના પ્રદર્શન ની જ જો વાત કરવામાં આવે તો, તેણે 12 મેચ રમી છે. જે મેચ દરમ્યાન 11 ઇનીંગ્સ રમીને 40.22 ની સરેરાશ થી 155.36 ના સ્ટ્રાઇક રેટ સાથે 362 રન બનાવ્યા છે. તે અત્યાર સુધીમાં 48 ચોગ્ગા અને 08 છગ્ગા પમ લગાવી ચુક્યો છે. યાદવે ત્રણ અર્ધ શતક પણ મુંબઇ ઇન્ડિયન્સ માટે લગાવ્યા છે. એટલે સુધી કે તે બે મેચોમાં પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ હાંસલ કરી ચુકયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો