T-20: ક્રિસ ગેઇલ હવે એકદમ તૈયાર, બિમારીથી સ્વસ્થ થતા બેંગ્લોર સામે શનિવારે મેદાનમાં ઉતરશે
કિંગ્સ ઇલેવન પંજાબના બેટ્સમેન ક્રિસ ગેઇલ હવે પેટના દર્દથી સ્વસ્થ છે. તે હવે ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મેચ રમી શકે છે. જો તે હવે મેદાનમાં જોવા મળે તો, સિઝનની તેની પ્રથમ મેચ બની રહેશે. Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું? ગુજરાતમાં […]
કિંગ્સ ઇલેવન પંજાબના બેટ્સમેન ક્રિસ ગેઇલ હવે પેટના દર્દથી સ્વસ્થ છે. તે હવે ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મેચ રમી શકે છે. જો તે હવે મેદાનમાં જોવા મળે તો, સિઝનની તેની પ્રથમ મેચ બની રહેશે.
ટીમના મુખ્ય કોચ અનિલ કુંબલેએ કહ્યુ કે, ગેઇલ ફુડ પોઇઝનીંગને કારણે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મેચ ન હતો રમી શક્યો. 41 વર્ષના વિસ્ફોટક બેટ્સમેન ગત શનિવારે કલકત્તા નાઇટ રાઇડર્સ સામે પણ રમી શક્યો ન હતો. આ દરમ્યાન ગેઇલે સોશિયલ મિડીયા પર પણ એક તસ્વીર હોસ્પીટલથી શેર કરી હતી. જોકે સોમવારે ગેલ પ્રેકટીશ સેશનમાં જોડાયા અંગે કિંગ્સ ઇલેવન પંજાબે પણ તસ્વીર જારી કરી હતી.
સુત્રોનુ કહેવુ છે કે, ગેઇલ હવે સ્વસ્થ છે અને આશા રાખવામાં આવી રહી છે કે તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મેચ રમી શકે છે. તે મેચ શારજાહમાં રમાનારી છે. જે મેદાન લીગ રમાઇ રહેલ ત્રણેય મેદાનમાં એકદમ નાનુ છે. મયંક અગ્રવાલ અને કેએલ રાહુલે અત્યાર સુધી કિંગ્સ ઇલેવનને એક સારી શરુઆત કરાવી છે. આવા સમયે જ ગેઇલને રમવાનો મોકો નહતો મળી રહ્યો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો