અફગાનિસ્તાન વિરૂદ્ધ મેચને લઈને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે આ બે ખેલાડીઓની કરી આલોચના
ક્રિકેટના ભગવાન અને દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરે અફગાનિસ્તાનની સામે વિશ્વ કપમાં ભારતના મિડલ ઓર્ડરની ધીમી બેટિંગ પર નારાજગી વ્યકત કરી છે. સચિને કહ્યું કે સાઉથેમ્પટનમાં રમાયેલી આ મેચમાં કેદાર જાધવ અને ધોની વચ્ચેની જે ભાગીદારી થઈ, તે ખુબ જ ધીમી રહી હતી. ધોનીએ આ મેચમાં 52 બોલ પર 3 ફોરની મદદથી 28 રન બનાવ્યા. ભારતે […]
ક્રિકેટના ભગવાન અને દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરે અફગાનિસ્તાનની સામે વિશ્વ કપમાં ભારતના મિડલ ઓર્ડરની ધીમી બેટિંગ પર નારાજગી વ્યકત કરી છે. સચિને કહ્યું કે સાઉથેમ્પટનમાં રમાયેલી આ મેચમાં કેદાર જાધવ અને ધોની વચ્ચેની જે ભાગીદારી થઈ, તે ખુબ જ ધીમી રહી હતી.
ધોનીએ આ મેચમાં 52 બોલ પર 3 ફોરની મદદથી 28 રન બનાવ્યા. ભારતે આ મેચમાં 50 ઓવરમાં માત્ર 224 રન બનાવ્યા હતા પણ ભારતીય બોલર્સે અફગાનિસ્તાનની ટીમને 49.5 ઓવરમાં 213 રનમાં ઓલઆઉટ કરી દીધા અને વિરાટ સેનાને 11 રનથી જીત મળી હતી. ભારત માટે કેપ્ટન કોહલીએ 67 રન બનાવ્યા અને કેદાર જાધવે 52 રન બનાવ્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સચિને વધુમાં નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે કેદાર જાધવ અને ધોનીની વચ્ચે થયેલી ભાગીદારીથી હું નારાજ છું. જે ભાગીદારી બંનેની વચ્ચે થઈ, તે ખુબ જ ધીમી રહી, 34 ઓવર સ્પિન બોલિંગનો સામનો કર્યો પણ માત્ર 119 રન બનાવી શક્યા.
જાધવ અને ધોનીએ 5મી વિકેટ માટે 84 બોલ પર 57 રન બનાવ્યા. સચિને કહ્યું કે વિરાટ કોહલી 38મી ઓવરમાં આઉટ થયા, ત્યારબાદ 45મી ઓવર સુધી વધારે રન બન્યા નથી. મિડલ ઓર્ડર બેટસમેનને આ પહેલા ટૂર્નામેન્ટમાં વધારે તક મળી નથી. તેનાથી તેમની પર દબાણ વધ્યુ પણ ઈચ્છાશક્તિ થોડી સારી થઈ શકતી હતી. ધોની અને જાધવ બંને ખેલાડીઓ રનરેટ મુજબ રમી શક્યા નહી, જેની જરૂરિયાત હતી.
આ પણ વાંચો: ATM અને બેન્ક એકાઉન્ટ નંબર વગર પણ મોબાઈલ SIM કાર્ડથી તમને ચૂનો લાગી શકે છે, બચવા માટેની જાણો આ ટેક્નિક
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]