ભારત સામેની શ્રેણી માટે આતુર પાકિસ્તાન! ICCની બેઠકમાં ઉઠાવાશે મુદ્દો, રમીઝ રાજા BCCI સાથે વાત કરશે

ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ 10 વર્ષથી કોઈ દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી થઈ નથી. બંને દેશો હાલમાં માત્ર ICC ટુર્નામેન્ટમાં જ રમે છે. જો કે, બંનેની મેચ માટે ઘણી રાહ જોવી પડે છે.

ભારત સામેની શ્રેણી માટે આતુર પાકિસ્તાન! ICCની બેઠકમાં ઉઠાવાશે મુદ્દો, રમીઝ રાજા BCCI સાથે વાત કરશે
ભારત સામેની શ્રેણી માટે આતુર પાકિસ્તાન! ICCની બેઠકમાં ઉઠાવાશે મુદ્દોImage Credit source: file photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 3:06 PM

BCCI: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજા (Ramiz Raja)ને આશા છે કે 7થી 10 એપ્રિલ સુધી દુબઈમાં ICC મીટિંગ દરમિયાન BCCI અધિકારીઓ સાથે તેમની વાતચીત સકારાત્મક રહેશે. રમીઝ રાજા અને PCBના CEO ફૈઝલ હસનૈન 6 એપ્રિલે દુબઈ ગયા હતા. અહીં તે ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા તરીકે ચાર દેશોની વાર્ષિક ટી20 ટૂર્નામેન્ટના પ્રસ્તાવને આગળ વધારવા માંગે છે. ઓસ્ટ્રેલિયાએ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું છે, પરંતુ ભારત અને ઈંગ્લેન્ડ તરફથી હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.

પીસીબીના નજીકના સ્ત્રોતને ટાંકીને સમાચાર એજન્સી પીટીઆઈએ લખ્યું છે કે “આગામી મીટિંગ્સ મહત્વપૂર્ણ હશે કારણ કે, રમીઝ બીસીસીઆઈ અધિકારીઓને મળવા જઈ રહ્યા છે. આ દરમિયાન તે ચાર દેશોની ટૂર્નામેન્ટ, એશિયા કપ અને અન્ય મુદ્દાઓ વિશે વાત કરશે.

2022 T20 વર્લ્ડ કપની ટિકિટ એક દિવસમાં વેચાઈ ગઈ

રમીઝ રાજાએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ભારત-પાકિસ્તાન મેચથી પ્રશંસકોને દૂર રાખવા એ ખોટું છે. તેણે કહ્યું હતું કે ‘ભારત-પાકિસ્તાન (2022 T20 વર્લ્ડ કપ)ની ટિકિટ એક દિવસમાં વેચાઈ ગઈ. આપણે બાબતોને રાજકીય દૃષ્ટિકોણથી ન જોવી જોઈએ. જો BCCI પણ સાથી ક્રિકેટર દ્વારા ચલાવવામાં આવે છે તો આપણે એકબીજાના સંપર્કમાં રહેવું જોઈએ કારણ કે આપણે રાજકારણને સમજી શકતા નથી.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

રમીઝ રાજા સૌરવ ગાંગુલી સાથે ભારત-પાકિસ્તાન ક્રિકેટ અને ચાર દેશોની ટૂર્નામેન્ટના મુદ્દે પણ વાત કરશે. તેણે કહ્યું, ‘હું ગાંગુલી સાથે વાત કરીશ. ક્રિકેટનું ભવિષ્ય ત્રિ-રાષ્ટ્ર અને ચાર દેશોની ટુર્નામેન્ટમાં રહેલું છે. ટી-20 ક્રિકેટના કારણે દર્શકો બે દેશોની શ્રેણીથી દૂર થઈ રહ્યા છે.

પીસીબીના એક સૂત્રના જણાવ્યા અનુસાર રમીઝ રાજા આઈસીસીની બેઠક દરમિયાન પાકિસ્તાન સુપર લીગ અને પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયા શ્રેણીના સફળ પરિણામોને ધ્યાનમાં લેશે. તેઓ 2024-25 કેલેન્ડરમાં ત્રણ ટેસ્ટ શ્રેણીનો આગ્રહ રાખશે અને અન્ય દેશોને પણ પાકિસ્તાનનો પ્રવાસ કરવા કહેશે. ભારત સાથેની શ્રેણી માટે 2024-25ના કેલેન્ડરમાં પણ જગ્યા રાખવામાં આવી છે.

એક ઈન્ટરવ્યુ દરમિયાન રમીઝ રાજાએ કહ્યું કે, તેઓ ભારત-પાકિસ્તાન શ્રેણીને લઈને તેમના દેશની સરકાર સાથે વાત કરવા માટે તૈયાર છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : Gujarat: ભાજપે પીએમ મોદીનો ‘ન્યૂ ઈન્ડિયા’ સંદેશ લગભગ ત્રણ લાખ યુવાનો સુધી પહોંચાડવાની કરી તૈયારી, કાર્યકરો 20 દિવસમાં 80 વિધાનસભા બેઠકોને આવરી લેશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">