IOA પ્રમુખપદની ચૂંટણી પહેલા નરિન્દર બત્રાની મુશ્કેલી વધી, રક્ષા મંત્રી રાજનાથ સિંહના પુત્ર સાથે થશે ટક્કર !

નરિન્દર બત્રા 2017થી IOA ના પ્રમુખ છે. તે 2016 થી આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન (FIH) ના પ્રમુખ પણ છે.

IOA પ્રમુખપદની ચૂંટણી પહેલા નરિન્દર બત્રાની મુશ્કેલી વધી, રક્ષા મંત્રી રાજનાથ સિંહના પુત્ર સાથે થશે ટક્કર !
નરિન્દર બત્રા IOA વર્તમાન પ્રમુખ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2021 | 8:24 AM

IOA : ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (Indian Olympic Association)ના પ્રમુખ નરિન્દર બત્રા (Narinder Batra) માટે આ વખતે ચૂંટણી આસાન નથી. IOA પ્રમુખને પોતાની ખુરશી બચાવવા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહ(Rajnath Singh)ના પુત્ર અને ગૌતમ બુદ્ધ નગરના ધારાસભ્ય પંકજ સિંહનો સામનો કરવો પડી શકે છે. અહેવાલો અનુસાર, પંકજ સિંહ IOA પ્રમુખ પદ માટે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે અને આ માટે તેમને રાજકીય સમર્થન પણ મળવાનું છે, જે વર્તમાન પ્રમુખ નરિંદર બત્રા માટે સારા સમાચાર નથી.

પંકજ સિંહે (Pankaj Singh) ઓગસ્ટ મહિનામાં જ રમતગમતની દુનિયામાં પ્રવેશ કર્યો છે. તેઓ ઓગસ્ટમાં ફેન્સિંગ એસોસિએશન ઓફ ઈન્ડિયા(Fencing Association of India) ના બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા, જેના જનરલ સેક્રેટરી રાજીવ મહેતા (Rajeev Mehta) છે. FAI એ IOA ના નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનમાંથી એક છે. પંકજ ભાજપ (BJP)ના ઉત્તર પ્રદેશના મહાસચિવ છે અને આવી સ્થિતિમાં તેમને રાજકીય સમર્થન પણ મળી રહ્યું છે. બીજી તરફ બત્રા માટે સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે.

રાજીવ મહેતા (Rajeev Mehta) માસ્ટર માઈન્ડ

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

સમાચાર મુજબ પંકજને બત્રાની સામે લાવવાની યોજનાનો માસ્ટર માઇન્ડ રાજીવ મહેતા (Rajeev Mehta) છે. મહેતા IOAના જનરલ સેક્રેટરી છે અને નરિન્દર બત્રા (Narinder Batra) સાથેના તેમના સંબંધો વિવાદાસ્પદ રહ્યા છે. મહેતા કોઈપણ પદ માટે ચૂંટણી લડી શકતા નથી. આ કારણોસર તેણે પંકજને પ્રબળ દાવેદાર તરીકે મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે. જો કે હાલની પરિસ્થિતિમાં આ ચૂંટણીઓ યોજવી ખૂબ જ મુશ્કેલ લાગી રહી છે.

દિલ્હી હાઈકોર્ટે વરિષ્ઠ વકીલ રાહુલ મહેરાની અરજી પર IOAની કાર્યકારી સમિતિની ચૂંટણી પર સ્ટે આપ્યો હતો. મહેરાએ પોતાની અરજીમાં કહ્યું હતું કે, 19 ડિસેમ્બરે યોજાનારી સૂચિત ચૂંટણી સંપૂર્ણપણે ગેરકાયદેસર છે અને સુનાવણી બાકી હોય ત્યાં સુધી ચૂંટણી યોજવી જોઈએ નહીં. આના પગલે, ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) એ ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) ને દિલ્હી હાઇકોર્ટમાં પેન્ડિંગ કેસને ધ્યાનમાં રાખીને 19 ડિસેમ્બરની ચૂંટણી મોકૂફ રાખવાની સલાહ આપી છે, પરંતુ બોડીને તે જ તારીખે તેની સામાન્ય સભા યોજવા કહે છે.

આયોજન કરવા અનુરોધ કર્યો હતો. IOA પ્રમુખ નરિન્દર બત્રાને મોકલવામાં આવેલા પત્રમાં IOCએ કહ્યું છે કે IOA બંધારણમાં જરૂરી સુધારા કર્યા બાદ આવતા વર્ષના જાન્યુઆરી મહિનાના અંત પહેલા ચૂંટણી યોજવી જોઈએ. IOC એ સ્પષ્ટ કર્યું છે કે, બંધારણમાં કોઈપણ સુધારા યોગ્ય પ્રક્રિયાને અનુસરવા જોઈએ અને પછી તેને મંજૂરી માટે IOCને મોકલવામાં આવશે.

આ પણ વાંચો : Happy birthday Venkatesh: બોલિવૂડનો ‘અનાડી’ કેવી રીતે બન્યો સાઉથનો સુપરસ્ટાર? વેંકટેશના જન્મદિવસ પર જાણો તેમની સાથે જોડાયેલી ખાસ વાતો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">