Corona Virus : પેરાલિમ્પિક ગેમમાં દર્શકોને No Entry, કોરોના સંક્રમણને લઈ લેવાયો નિર્ણય
પેરાલિમ્પિક ગેમ્સ 24 ઓગસ્ટથી યોજાશે જેમાં લગભગ 4,400 ખેલાડીઓ ભાગ લેશે. ઓલિમ્પિકમાં 11,000 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
Paralympics 2021 : ઓલિમ્પિકની જેમ કોરોના મહામારીને કારણે પેરાલિમ્પિક્સ ગેમ્સ (Paralympic Games) 2021 દરમિયાન દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આયોજકોએ સોમવારે આ માહિતી આપી હતી. ઓલિમ્પિક (Olympic)દરમિયાન, કેટલાક દર્શકોને ટોક્યોની બહારના ક્ષેત્રમાં રમતગમતના કાર્યક્રમોમાં મંજૂરી આપવામાં આવી હતી.
પરંતુ આ વખતે કોઈ પણ રમતો માટે કોઈ દર્શકોને મંજૂરી આપવામાં આવશે નહીં. જોકે કેટલાક કાર્યક્રમોમાં બાળકો ભાગ લેવાની આશંકા છે. આયોજકોએ લોકોને રસ્તા પર આયોજિત થતી રમતો (મેરેથોન અને વ વોકિંગ જેવા કાર્યક્રમો) જોવા ન આવવા કહ્યું છે.
આંતરરાષ્ટ્રીય પેરાલિમ્પિક સમિતિ (International Paralympic Committee)ના પ્રમુખ એન્ડ્રુ પાર્સન્સ, આયોજક સમિતિના અધ્યક્ષ સેઇકો હાશિમોટો, ટોક્યો (Tokyo)ના ગવર્નર યુરીકો કોઇકે અને ઓલિમ્પિક મંત્રી તમયો મારુકાવાની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
પેરાલિમ્પિક ગેમ્સ 24 ઓગસ્ટથી યોજાશે. જેમાં લગભગ 4,400 ખેલાડીઓ ભાગ લેશે. પેરાલિમ્પિક ગેમ્સ 5 સપ્ટેમ્બરે સમાપ્ત થશે. ઓલિમ્પિકમાં 11,000 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
પેરાલિમ્પિક ગેમ્સ પહેલા, ટોક્યો (Tokyo)માં નવા કોરોના કેસો વધ્યા છે અને તેના કારણે, ખેલાડીઓને ચેપ લાગવાનું જોખમ પણ છે. ટોક્યો અને જાપાનમાં કેસની વર્તમાન સંખ્યાને જોતાં આ રમતોમાં ભાગ લેનારા દરેકને સાવચેત રહેવું જોઈએ.
ઓલમ્પિકના 17 દિવસો દરમિયાન ટોક્યોમાં નવા ચેપ ત્રણ ગણા થઈ ગયા, પરંતુ તબીબી નિષ્ણાતોએ કહ્યું કે, આ કેસ વધવાનું કારણ ટોક્યો ઓલિમ્પિક નથી. જાપાનના વડાપ્રધાન (Prime Minister of Japan) યોશીહિદે સુગાએ સોમવારે કહ્યું કે, ટોક્યો અને અન્ય પ્રદેશોમાં કટોકટીની સ્થિતિ 12 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવશે.
કટોકટીની સ્થિતિ 12 જુલાઈથી અમલમાં છે અને આ મહિનાના અંતમાં સમાપ્ત થવાની હતી. 13 ઓગસ્ટના રોજ ટોક્યોમાં કોરોનાના 5773 નવા કેસ નોંધાયા હતા. જે એક નવો રેકોર્ડ છે. 15 ઓગસ્ટના રોજ 4295 કેસ જોવા મળ્યા. નિષ્ણાતોનું કહેવું છે કે, પરિસ્થિતિ નિયંત્રણ બહાર થઈ રહી છે. જાપાનમાં કોરોનાને કારણે કુલ 15400 લોકોએ જીવ ગુમાવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ટોક્યો 2020 પેરાલિમ્પિક (Tokyo Paralympics 2020) ગેમ્સમાં ભાગ લેનાર ભારતીય પેરા-એથ્લેટ ટીમ સાથે વાતચીત કરશે.
આ રમતોમાં આ વખતે ભારતમાંથી 54 પેરા-રમતવીરો 9 અલગ-અલગ રમત સ્પર્ધાઓમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે ટોક્યો જઈ રહ્યા છે. પ્રધાનમંત્રીની સાથે રમત મંત્રી અનુરાગ ઠાકુર પણ આ કાર્યક્રમમાં જોડાશે.
આ પણ વાંચો : Mohammed siraj :9 મહિનામાં 3 મોટી જીતનો હીરો રહ્યો ‘લાલ બાદશાહ’, ઓસ્ટ્રેલિયાના અને ઈંગ્લેન્ડના ‘ઘમંડ’ ને તોડ્યો