SAI: ભારતીય મહિલા ખેલાડીએ કોચ પર અયોગ્ય વર્તનનો લગાવ્યો આરોપ, સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા લેવાયા એક્શન

આ સમયે આ ખેલાડી વિદેશમાં ટ્રેનિંગ કરી રહી હતી જ્યાં આ મામલો બન્યો હતો. આ પછી, ખેલાડીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, SAI એ ખેલાડીને ભારત પરત બોલાવી લેવામાં આવેલ છે.

SAI: ભારતીય મહિલા ખેલાડીએ કોચ પર અયોગ્ય વર્તનનો લગાવ્યો આરોપ, સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા લેવાયા એક્શન
કોચની ગેરવર્તણૂકની તપાસ માટે સમિતિ રચાઈ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2022 | 10:10 PM

ભારતની ધરતીથી દૂર ભારતીય રમત જગતમાં એક ગંભીર બાબત સામે આવી છે. એક એવો કિસ્સો કે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. ખેલાડી અને કોચ વચ્ચેનો સંબંધ પિતા/પુત્રી, ગુરુ/શિષ્ય જેવો હોય છે. એક મહિલા ખેલાડીએ પોતાના જ કોચ પર ગંભીર આરોપ લગાવ્યા છે. આ આરોપો પર તુરંત કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. સાયકલિસ્ટ મયુરી લુટે (Mayuri Lute) એ રાષ્ટ્રીય ટીમના કોચ આરકે શર્મા પર ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો હતો, જેના પછી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) અને સાયકલિંગ ફેડરેશને એક તપાસ સમિતિની રચના કરી હતી.

મયુરીની ફરિયાદ પર, SAI એ તપાસ માટે સોમવારે એક સમિતિની રચના કરી હતી અને સાઇકલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (CFI) આ મામલે તેના ખેલાડીની પડખે છે. SAI દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, સાઈને સ્લોવેનિયામાં કેમ્પ દરમિયાન કોચ દ્વારા સાઈકલ સવાર સાથે અયોગ્ય વર્તનની ફરિયાદ મળી છે. આ કોચની નિમણૂક CFI ની ભલામણ પર કરવામાં આવી હતી.

ખેલાડી ઘરે પરત ફરશે

સાઈએ પોતાના નિવેદનમાં કહ્યું કે આ મામલા બાદ મયુરીને ભારત પરત બોલાવવામાં આવી છે અને આ સંદર્ભમાં તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. તેણે કહ્યું, ખેલાડીની ફરિયાદ બાદ, તેની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, SAI એ તેને તરત જ ભારત બોલાવ્યો અને આ મામલાની તપાસ કરવા માટે એક સમિતિની પણ રચના કરી છે. આ બાબતને પ્રાથમિકતાના આધારે ઉકેલવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તેનું નિરાકરણ લાવવામાં આવશે. આ શિબિર 18-22 જૂન 2022 દરમિયાન દિલ્હીમાં યોજાનારી એશિયન ટ્રેક સાયકલિંગ ચેમ્પિયનશિપ માટે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ખેલાડીને સાથ આપવામાં આવશે

તે જ સમયે, CFIએ કહ્યું કે તે તેના ખેલાડીને સંપૂર્ણ સમર્થન આપી રહ્યું છે. CFI એ કહ્યું, CFI ફરિયાદીની સાથે છે. સાઈને આ બાબતે જાણ કરવામાં આવી છે. અમે SAI સમિતિના નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપીશું.

સીએફઆઈએ આ મામલાની તપાસ માટે ચાર સભ્યોની સમિતિની પણ રચના કરી છે. આમાં તેના જનરલ સેક્રેટરી મનિન્દર પાલ સિંહ, કેરળ સાયકલિંગના પ્રમુખ એસએસ સુદીશ કુમાર, મહારાષ્ટ્ર સાયકલિંગ ટીમના ચીફ દીપાલી નિકમ અને સહાયક સચિવ વીએન સિંહનો સમાવેશ થાય છે. કોચ આરકે શર્માની સાથે ભારતીય ટીમના અન્ય તમામ ખેલાડીઓ 14 જૂને પરત ફરશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">