રમત મંત્રાલયની દખલગીરી બાદ પેરા શૂટર્સને વિઝા મળ્યા, ટીમ પેરા શૂટિંગ વર્લ્ડ કપમાં ભાગ લઈ શકશે
ભારતીય પેરા શૂટર્સ શનિવારે ફ્રાન્સ જવાના હતા. જોકે, પેરાલિમ્પિક્સ (Paralympics) મેડલ વિજેતા સિંહરાજ અધના, અવની લેખારા સહિત 6 ખેલાડીઓને વિઝા મળી શક્યા ન હતા.
Paris Paralympics : પેરાલિમ્પિક્સ(Paralympics)માં ડબલ મેડલ વિજેતા સિંહરાજ અધના સહિત ભારતીય પેરા શૂટિંગ ટુકડીના 6 સભ્યોને ભારત સરકારના હસ્તક્ષેપ બાદ વિઝા મળ્યા છે. હવે આ તમામ ખેલાડીઓ ફ્રાન્સમાં યોજાનાર પેરા શૂટિંગ વર્લ્ડ કપમાં ભાગ લઈ શકશે, જે પેરિસ પેરાલિમ્પિક્સ (Paris Paralympics)માટે પણ ક્વોલિફાયર છે. શનિવારે દિવસભર ટ્વીટ અને રીટ્વીટનો સિલસિલો ચાલુ રહ્યો અને આખરે SIAએ ખેલાડીઓના વિઝાની વ્યવસ્થા કરી. આ ટુર્નામેન્ટ 4 થી 13 જૂન દરમિયાન યોજાવાની છે. ભારતીય ખેલાડીઓ સામેની મેચ 6 જૂનથી શરૂ થવાની છે પરંતુ તે પહેલા આખી ટીમ ફ્રાન્સ પહોંચી જશે.
ખેલાડીઓને વિઝા મળી ગયા
SIAએ દિવસના અંતે ટ્વીટ કર્યું કે બીજી વખત ભારતીય રમતગમત અને વિદેશ મંત્રાલયના હસ્તક્ષેપ બાદ ફ્રેન્ચ એમ્બેસીએ ખેલાડીઓને વિઝા આપ્યા છે. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું, ‘વિદેશ અને રમત મંત્રાલયની અપીલ બાદ બાકીના ત્રણ ખેલાડીઓ અને ચાર સપોર્ટ સ્ટાફના વિઝા ફ્રેન્ચ દૂતાવાસ દ્વારા ક્લિયર કરી દેવામાં આવ્યા છે. ટીમ 5 જૂનના રોજ ફ્રાન્સ જશે.
The pending visas of 3 athletes and 4 support staff of the Indian Para Shooters contingent going to France for competition has been cleared by the French embassy after further requests from MYAS and MEA. The team will fly out to France tomorrow.@IndiaSports @MEAIndia https://t.co/0O70TeW2hE
— SAI Media (@Media_SAI) June 4, 2022
અવની લેખારાએ ખુશી વ્યક્ત કરી
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ અવનીના ટ્વીટને રીટ્વીટ કરીને કહ્યું કે, “તે દુર્ભાગ્યપૂર્ણ છે કે ભારતીય પેરા શૂટરોને વિઝા મળી શક્યા નથી. રમતગમત મંત્રાલય અને વિદેશ મંત્રાલયે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ સફળતા મળી નથી. જોકે, વિઝા મળ્યા બાદ તેણે ખુશી વ્યક્ત કરતા લખ્યું કે, ‘વિઝા મળી ગયા છે. જીવનમાં જે પણ થાય છે તેના માટે વ્યક્તિએ આભાર માનવો જોઈએ. તેમણે પોતાના ટ્વિટમાં રમત મંત્રાલય અને વિદેશ મંત્રાલયના અધિકારીઓનો આભાર માન્યો હતો.