મહાન ફૂટબોલર પેલેની હાલત નાજુક, દિગ્ગજ ફૂટબોલરો એ કરી પ્રાર્થના
તે બધા વચ્ચે ફૂટબોલ ફેન્સને ચિંતામાં મુકતા સમાચાર સામે આવ્યા છે. દુનિયાના મહાન ફૂટબોલર પેલેનું સ્વાસ્થ્ય હાલમાં નાજુક છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કેન્સરની સારવાર દરમિયાન થઈ રહેલી કિમોથેરેપીની અસર તેમના પર નથી થઈ રહી.
કતારમાં ચાલી રહેલા ફિફા વર્લ્ડકપ 2022ને કારણે આખી દુનિયામાં ફિફા ફૂટબોલનો ફિવર છવાયો છે. હાલમાં ફૂટબોલ ફેન્સ ફિફાની રોમાંચિત મેચોનો આનંદ લઈ રહ્યા છે. તે બધા વચ્ચે ફૂટબોલ ફેન્સને ચિંતામાં મુકતા સમાચાર સામે આવ્યા છે. દુનિયાના મહાન ફૂટબોલર પેલેનું સ્વાસ્થ્ય હાલમાં નાજુક છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કેન્સરની સારવાર દરમિયાન થઈ રહેલી કિમોથેરેપીની અસર તેમના પર નથી થઈ રહી, ત્યારબાદ તેમને પૈલિએટિવ કેયરમાં રાખવામાં આવ્યા છે. તેમને ડોકટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. ઈતિહાસના મહાનતમ ખેલાડીઓમાં સામેલ પેલે બ્રાઝિલના દિગ્ગજ સ્ટ્રાઈકર હતા.
82 વર્ષના પેલેને 29 નવેમ્બર, મંગળવારના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે તેમના પરિવાર દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે તેને સામાન્ય દુખાવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તેમના ટયૂમરને હરાવીને કીમોથેરેપી શરુ કરવા કહ્યપ હતુ. પણ ત્યારબાદ હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યુ કે તેમને શ્વાસ લેવામાં તકલીફ છે, તેથી જ તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવશે.
દુનિયા માંગી રહી છે સારા સ્વાસ્થ્યની પ્રાર્થના
Pray for the King 👑🙏🏽🇧🇷 @Pele
— Kylian Mbappé (@KMbappe) December 3, 2022
Get well soon, @Pele 🙏🔟🇧🇷 pic.twitter.com/QPZGpxwupL
— FIFA.com (@FIFAcom) December 2, 2022
ફિફા વર્લ્ડકપના રોમાંચ વચ્ચે ફૂટબોલ ફેન્સ ચિંતામાં મુકાયા છે. આ મહાન ફૂટબોલર માટે આખી દુનિયામાં પ્રાર્થના શરુ થઈ ગઈ છે. ફ્રાંસના સ્ટાર ખેલાજી કીલિયન એમબાપ્પે એ ટ્વિટ કરીને પેલેના સારા સ્વાસ્થની કામના કરી હતી. તેમણે લખ્યુ હતુ કે – કિંગ માટે પ્રાર્થના.કતારમાં બ્રાઝિલના પ્રશંસકો એ એક બેનર બતાવ્યુ હતુ જેમાં પેલેની તસ્વીર હતી. તેના સિવાય એક ડ્રો શો દરમિયાન પણ પેલે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
બ્રાઝિલના મહાન ફૂટબોલર પેલે
પેલે એ બ્રાઝિલને વર્ષ 1958 , 1962 અને 1970માં વર્લ્ડકપ જીતડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે પોતાની આ રાષ્ટ્રીય ટીમ માટે 92 મેતમાં 77 ગોલ કર્યા છે. તે બ્રાઝિલ માટે સૌથી વધારે ગોલ કરનાર ખેલાડી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, કીમોથેરેપીની તેમના પર જોઈએ તેવી અસર થઈ નથી. તેમનું શરીર કીમોથેરેપી પર કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા નથી આપી રહી. તેથી જ હોસ્પિટલને અલગ પગલા લેવાની ફરજ પડી છે. તેમણે પેલેને પૈલિએટિવ કેયરમાં રાખ્યા છે.