CWG 2022: શ્રીલંકા બાદ હવે બર્મિંગહામમાં પાકિસ્તાનના બે બોક્સર ગાયબ, ટૂર્નામેન્ટ સમાપ્ત થવા બાદ સ્વદેશ પરત નથી આવવા ઈચ્છતા!

પાકિસ્તાન ઓલિમ્પિક એસોસિએશન (POA) એ ગુમ થયેલા બોક્સરોના કેસની તપાસ માટે ચાર સભ્યોની સમિતિની રચના કરી છે.

CWG 2022: શ્રીલંકા બાદ હવે બર્મિંગહામમાં પાકિસ્તાનના બે બોક્સર ગાયબ, ટૂર્નામેન્ટ સમાપ્ત થવા બાદ સ્વદેશ પરત નથી આવવા ઈચ્છતા!
Boxers Suleman Baloch અને Nazeer Ullah Khan ગેમ્સ બાદ ગૂમ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2022 | 3:05 PM

શ્રીલંકા બાદ હવે બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) સમાપ્ત થયા બાદથી બે પાકિસ્તાની બોક્સર ગુમ થઈ ગયા છે. રાષ્ટ્રીય મહાસંઘે બુધવારે આ માહિતી આપી. પાકિસ્તાન બોક્સિંગ ફેડરેશન (PBF) ના સેક્રેટરી નાસેર તાંગે આ સમાચારની પુષ્ટિ કરી હતી કે બોક્સર સુલેમાન બલોચ અને નઝીરુલ્લા (Boxers Suleman Baloch and Nazeer Ullah Khan) ટીમ ઈસ્લામાબાદ જવાના કલાકો પહેલા ગુમ થઈ ગયા હતા. બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સનું સોમવારે સમાપન થયું. જો કે, ખેલાડીઓના પાછા ફરવાનો સમય આવતા જ બોક્સર તેમના રૂમમાંથી મળ્યા ન હતા.

ખેલાડીઓના પાસપોર્ટ ફેડરેશન પાસે છે

ફેડરેશનના અધિકારી તાંગે જણાવ્યું હતું કે તેમના પાસપોર્ટ સહિતના પ્રવાસના દસ્તાવેજો હજુ પણ ફેડરેશનના અધિકારીઓ પાસે છે જેઓ બોક્સિંગ ટીમ સાથે ગેમ્સમાં ગયા હતા. તેણે કહ્યું કે ટીમ મેનેજમેન્ટે યુકેમાં પાકિસ્તાન હાઈ કમિશન અને લંડનમાં સંબંધિત અધિકારીઓને સુલેમાન અને નઝીરુલ્લાના ગુમ થવા અંગે જાણ કરી છે. કોમનવેલ્થની બોક્સિંગ સ્પર્ધામાં પાકિસ્તાન એકપણ મેડલ જીતી શક્યું નથી. દેશે આ રમતોમાં આઠ મેડલ જીત્યા હતા, જેમાં વેટલિફ્ટિંગ અને ભાલા ફેંકમાં બે ગોલ્ડનો સમાવેશ થાય છે.

પોલીસ બોક્સરોને શોધી રહી છે

તાંગે કહ્યું કે ગુમ થયેલા બોક્સરના દસ્તાવેજો પાકિસ્તાનથી આવતા તમામ ખેલાડીઓ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અનુસાર રાખવામાં આવ્યા હતા. પાકિસ્તાન ઓલિમ્પિક એસોસિએશન (POA) એ ગુમ થયેલા બોક્સરોના કેસની તપાસ માટે ચાર સભ્યોની સમિતિની રચના કરી છે. રાષ્ટ્રીય તરવૈયા ફૈઝાન અકબર હંગેરીમાં ફિના વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી ગુમ થયાના બે મહિના પછી હવે બોક્સર ગાયબ થવાની ઘટના આવી છે. જો કે, અકબર ચેમ્પિયનશીપમાં ભાગ લેતો પણ દેખાયો ન હતો અને બુડાપેસ્ટ પહોંચ્યાના થોડા કલાકો પછી તેના પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજો સાથે ગાયબ થઈ ગયો હતો. જૂનથી તેનો કોઈ પત્તો લાગ્યો નથી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

શ્રીલંકાના ખેલાડીઓ પણ ગાયબ થયા

આ પહેલા શ્રીલંકાના ખેલાડીઓ આર્થિક સંકટના કારણે બર્મિંગહામમાં ગુમ થયા હતા. શ્રીલંકાની પ્રથમ જુડો ખેલાડી ચમિલા દિલાની, તેના મેનેજર એસેલા ડી સિલ્વા અને કુસ્તીબાજ શાનિથ બર્મિંગહામમાં ગુમ થયા હતા. આ પછી એક પછી એક સાત ખેલાડીઓ ગાયબ થઈ ગયા જેના કારણે શ્રીલંકન ટીમની મુશ્કેલી વધી ગઈ. આ તમામ ખેલાડીઓના પાસપોર્ટ સત્તાવાર ટીમ પાસે જ છે. ફેડરેશનના અધિકારીઓએ જણાવ્યું કે આ ખેલાડીઓ નોકરી કરવાના ઈરાદાથી બર્મિંગહામમાં રોકાયા હતા. તેની પાસે હાલમાં છ મહિનાનો વિઝા છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">