ધોનીના ગ્લવ્સ પર લાગેલા નિશાનને લઈ મામલો વધુ ગુંચવાયો, BCCIએ ICCને ચિઠ્ઠી લખીને કહ્યું કે આવુ નહી થાય!
ધોનીના ગ્લવ્સ પર ‘બલિદાન બેજ’ના નિશાનને લઈને BCCI અને ICC સામ-સામે છે. ICCએ ધોનીને તેમના ગ્લવ્સ પરથી ‘બલિદાન બેજ’ના નિશાન હટાવવા માટે કહ્યુ હતું. ત્યારદબાદ BCCI ધોનીના સમર્થનમાં આવ્યું છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું […]
ધોનીના ગ્લવ્સ પર ‘બલિદાન બેજ’ના નિશાનને લઈને BCCI અને ICC સામ-સામે છે. ICCએ ધોનીને તેમના ગ્લવ્સ પરથી ‘બલિદાન બેજ’ના નિશાન હટાવવા માટે કહ્યુ હતું. ત્યારદબાદ BCCI ધોનીના સમર્થનમાં આવ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
BCCIના COA ચીફ વિનોદ રાયે કહ્યું કે અમે ICCને ધોનીને તેમના ગ્લવ્સ પર ‘બલિદાન બેજ’ પહેરવા માટે અનુમતિ લેવા માટે પહેલા જ ચિઠ્ઠી લખી ચૂક્યા છે. ત્યારબાદ ICC હવે BCCIની સામે નરમ પડી શકે છે.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ જો ધોની અને BCCI ICCને સુનિશ્ચિત કરેશે કે ‘બલિદાન બેજ’માં કોઈ રાજકીય કે ધાર્મિક સંદેશ નથી તો ICC તેની પર વિચાર કરી શકે છે. પહેલા BCCIના COA ચીફ વિનોદ રાયે કહ્યું હતું કે અમે આપણા ખેલાડીઓની સાથે ઉભા છીએ. ધોનીના ગ્લવ્સ પર જે નિશાન છે, તે કોઈ ધર્મનું પ્રતીક નથી અને તે કોઈ કોમર્શિયલ પણ નથી.
આ પણ વાંચો: અઢી વર્ષની બાળકી સાથે જે થયું તે બાદ સમગ્ર બોલિવુડમાં આક્રોશ, આરોપીને ફાંસી આપવાની માંગણી
રાજીવ શુક્લાએ કહ્યું કે BCCIએ ICCને પત્ર લખીને સારૂ કર્યુ છે. ICCના કોઈ નિયમે તેનું ઉલ્લંઘન નથી કર્યુ. વિશ્વ કપમાં દક્ષિણ આફ્રિકાની વિરૂધ્ધ મેચમાં ધોનીએ જે ગ્લવ્સ પહેર્યા હતા, તેની પર સેનાનો ‘બલિદાન બેજ’ બનાવેલો હતો. તેની પર ICCએ BCCIને અપીલ કરી હતી કે તે ધોનીને ગ્લવ્સ પરથી એ લોગો હટાવવા માટે કહે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]