Manika batraએ ટેબલ ટેનિસ કોચ પર મેચ ફિક્સિંગનો આરોપ લગાવ્યો, કહ્યું- ઓલિમ્પિક ક્વોલિફાયરમાં મેચ હારવાનું કહ્યું
મનિકા બત્રા ટોક્યો ઓલિમ્પિક -2020માં કોચ વગર મેચ રમી રહી હતી અને તેના વિશે ઘણો વિવાદ થયો હતો.
Manika batra: ભારતની સ્ટાર મહિલા ટેબલ ટેનિસ ખેલાડી (Table tennis player) મનિકા બત્રાએ રાષ્ટ્રીય કોચ સૌમ્યદીપ રોય પર સનસનાટીભર્યા આક્ષેપો કર્યા છે. મનિકાએ કહ્યું છે કે ઓલિમ્પિક ક્વોલિફાયર દરમિયાન રોયે તેને માર્ચમાં મેચ હારવાનું કહ્યું હતું અને તેથી તેણે ટોક્યો ઓલિમ્પિક -2020 (Tokyo Olympics 2020)માં તેની મદદ લેવાનો ઈનકાર કર્યો હતો. મનિકાએ ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (Table Tennis Federation of India) તરફથી શો કોઝ નોટિસનો જવાબ આપ્યો છે અને સ્પષ્ટપણે નકારી કાઢયું છે કે તેણે રોયની મદદ ન લઈને રમતને શરમજનક બનાવી છે.
ટીટીએફઆઈ (Table Tennis Federation of India)ના સૂત્રોના જણાવ્યા અનુસાર વિશ્વની 56 નંબરની ખેલાડી મનિકાએ કહ્યું છે કે તે તેની બાજુમાં બેઠેલા વ્યક્તિને કારણે મેચ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થ છે, જેણે તેને થોડા મહિના પહેલા મેચ ફિક્સ કરવાનું કહ્યું હતું. સમાચાર એજન્સી અનુસાર ટીટીએફઆઈ (TTFI)ના સચિવ અરુણ બેનર્જીને લખેલા તેમના પત્રમાં તેમણે કહ્યું છે કે “છેલ્લી ઘડીએ તેમની દખલગીરીને કારણે વિક્ષેપોને ટાળવા ઉપરાંત મારી પાસે તેમના વિના રમવાના ઘણા વધુ ગંભીર કારણો છે.”
મેચ હારવાનું દબાણ
તેમણે કહ્યું “રાષ્ટ્રીય કોચે માર્ચ 2021માં દોહામાં ક્વોલિફિકેશન (Qualification) ટુર્નામેન્ટમાં મારા વિદ્યાર્થી સામે મેચ હારવા માટે દબાણ કર્યું, જેથી તે ક્વોલિફાય થઈ શકે. ટૂંકમાં – મેચ ફિક્સિંગ કરવા કહ્યું.
રોયે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી
રોયનો સંપર્ક કરવાનો વારંવાર પ્રયત્ન કરાયો હતો, પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો. ખેલાડીથી કોચ બનેલાને ચાલુ રાષ્ટ્રીય શિબિરમાં જોડાવા માટે કહેવામાં આવ્યું છે અને ટીટીએફઆઈ (TTFI)એ તેને પોતાનો પક્ષ રજૂ કરવા પણ કહ્યું છે. જ્યારે બેનર્જીને મનિકા (Manika batra) દ્વારા આપવામાં આવેલી નોટિસ અંગેના તેમના જવાબ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે “આરોપો રોય વિરુદ્ધ છે. તેમને જવાબ આપવા દો. તે પછી અમે નિર્ણય લઈશું.”
મારી પાસે પુરાવા છે- મનિકા
રોયે ટીમ ઈવેન્ટમાં કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games)માં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમને અર્જુન એવોર્ડ પણ મળ્યો છે. મનિકા અને સુતીર્થ મુખર્જી બંને રોયની એકેડમીમાં તાલીમ લે છે. બંને ટોક્યો ઓલિમ્પિકમાં ક્વોલિફાય થયા હતા. મનિકાએ કહ્યું “મારી પાસે આનો પુરાવો છે અને હું તેને યોગ્ય સમયે યોગ્ય લોકો સમક્ષ રજૂ કરવા તૈયાર છું.
મેચ હારવા વિશે વાત કરવા માટે રાષ્ટ્રીય કોચ મારી હોટલના રૂમમાં મને વ્યક્તિગત રીતે મળ્યા અને લગભગ 20 મિનિટ સુધી મારી સાથે વાત કરી. મનિકાએ કહ્યું “તેણે તેના વિદ્યાર્થીને ખોટી રીતે પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો. આમાં તેમની સાથે તેમના વિદ્યાર્થીઓ પણ હતા, જેઓ તેમની ખાનગી એકેડમીમાં તાલીમ લે છે.
આ પણ વાંચો : Tokyo Paralympics હરવિંદર સિંહે આર્ચરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો,ભારતને મળ્યો 13મો મેડલ