IPL: પંજાબે લાંબાગાળાની યોજના ઘડી, ગેઇલ, રાહુલ અને કુંબલેના ભવિષ્યને લઇને પણ કર્યો નિર્ણય
આઇપીએલમાં ખુબ જ ચઢાવ ઉતાર ભર્યુ પ્રદર્શન કરવા વાળી કિંગ્સ ઇલેવન પંજાબે આગળની સિઝન માટે પોતાની સ્થિતી સુધારવા માટે અત્યારથી તૈયારીઓ શરુ કરી દીધી છે. ટીમના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેઇલને આગળની સિઝનમાં પ્રથમ મેચ થી જ મેદાનમાં ઉતારવા માટેની યોજના પર કામ કરવામાં આવશે. સમાચાર એજન્સીના મુજબ, ફેંન્ચાઇઝીના કો-ઓનર નેસ વાડિયાએ કહ્યુ છે કે ટીમે વિતેલા […]
આઇપીએલમાં ખુબ જ ચઢાવ ઉતાર ભર્યુ પ્રદર્શન કરવા વાળી કિંગ્સ ઇલેવન પંજાબે આગળની સિઝન માટે પોતાની સ્થિતી સુધારવા માટે અત્યારથી તૈયારીઓ શરુ કરી દીધી છે. ટીમના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેઇલને આગળની સિઝનમાં પ્રથમ મેચ થી જ મેદાનમાં ઉતારવા માટેની યોજના પર કામ કરવામાં આવશે.
સમાચાર એજન્સીના મુજબ, ફેંન્ચાઇઝીના કો-ઓનર નેસ વાડિયાએ કહ્યુ છે કે ટીમે વિતેલા સમયમાં કપ્તાન અને કોચ વારંવાર બદલવાનુ પરીણામ ભોગવવુ પડયુ છે. માટે હવે તેમણે વર્તમાન કોચ અનિલ કુંબલ અને કેપ્ટન કેએલ રાહુલને ત્રણ વર્ષની યોજના પર કામ કરવાનો નિર્ણય કર્યો છે. વાડિયાએ કુંબલે અને રાહુલના ભવિષ્યના અંગે પણ વાત કરતા કહ્યુ હતુ કે, અમે અનિલ સાથે ત્રણ વર્ષ ની યોજના બનાવી છે. લોકેશ રાહુલ અમારી સાથએ ત્રણ વર્ષ થી છે. એટલ ેજ અમે તેને સાથે રાખવા માંગતા હતા અને તેને અમને યોગ્ય સાબિત કર્યા છે.
ઇન્ડિયન પ્રિમીયર લીગની 2020 ની સિઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબની સફર ઘણો ઉતાર અને ચઢાવ વાળો રહ્યો હતો. ટીમે પ્રથમ સાત મેચોમાંથી છ મેચોને ગુમાવી દીધી હતી અને પછી લગાતાર પાંચ મેચ જીતી લીધી હતી. આમ ટીમ એક સમયે પ્લેઓફની દોડમાં આવી ચુકી હતી, પરંતુ તે પ્લેઓફમાં સ્થાન મેળવી શકી નહોતી. ટીમે પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે ચેન્નાઇ સુપર કિંગ્સ સામે અંતિમ લીગ મેચ જીતવાની જરુર હતી, પરંતુ ટીમ તેમ કરી શકી નહોતી. હાલમાં જ સમાપ્ત સિઝનને જોતા વાડિયાએ કહ્યુ હતુ કે, અંપાયરો દ્રારા શોર્ટ રનને લઇને કરેલી ક્ષતીને લઇને ટીમ પ્લેઓફમાં સ્થાન મેળવવા થી દુર રહી ગઇ હતી.
જોકે કેપ્ટન અને કોચના માર્ગદર્શનમાં પ્રથમ વર્ષમાં ટીમે જરુરી નિરંતરતા બતાવી નહોતી. વાડિયાએ સમાચાર એજન્સીને કહ્યુ હતુ કે, ટીમનો કેપ્ટન નવો છે, ટીમ નવી છે ડેમાં કેટલાક ચહેરા નવા છે, ક્યારેક ક્યારેક તે કારગર રહ્યુ હતુ અને ક્યારેક એમ ના થઇ શક્યુ. નિલામી બહુ જલદી આવનારી છે અને અમે મધ્યમક્રમ અને બોલીંગની કમીઓને ભરવા માંગીએ છીએ. તેમણે ગ્લેન મેક્સવેલ અને શેલ્ડન કોટ્રેલ ને ટાંકતા કહ્યુ હતુ કે, આંતરરાષ્ટ્રીય ખેલાડીઓએ આશા પ્રમાણેના સ્તરનુ પ્રદર્શન નહોતુ કર્યુ. આ બંને ખેલાડીઓએ ટીમને પાછલા વર્ષની નિલામીમાં મોટી રકમ આપીને ખરીદ કર્યા હતા.
તેમણે ક્રિસ ગેઇલે ખુબ સારુ પ્રદર્શન કર્યુ હોવાનુ કહ્યુ હતુ, જેના કારણે હવે આગળની સિઝનમાં સત્ર દરમ્યાન પ્રથમ મેચ થી રમવાનુ નક્કિ છે. ગેઇલ આ સિઝનમાં પહેલા ભાગમાં મેદાન માટે પસંદ કરવામાં આવ્યો નહોતો. આ દરમ્યાન ટીમ સાતમાંથી છ મેચ હારી ચુકી હતી. ગેઇલ મેદાનમાં આવતા જ ટીમે જબરદસ્ત વાપસી કરી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો