IPL Auction: ઓકશનમાં ભાગ લેનાર ફ્રેન્ચાઇઝી અને અધિકારીઓએ અનુસરવી પડશે કોરોના ગાઇડલાઇન
ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL) ના ઓકશનને લઇને હવે દિવસો ગણવાાં આવી રહ્યા છે. કારણ કે હવે BCCI એ તેના આયોજનની તારીખ અને સ્થળ પણ જાહેર કરી દીધા છે. T20 લીગની 14 મી સિઝન માટેના ઓકશન (IPL Auction) ને લઇને કોવિડ-19 ના માહોલને લઇને કેટલાક નિયમો BCCI ઘડ્યા છે.
ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL) ના ઓકશનને લઇને હવે દિવસો ગણવાાં આવી રહ્યા છે. કારણ કે હવે BCCI એ તેના આયોજનની તારીખ અને સ્થળ પણ જાહેર કરી દીધા છે. T20 લીગની 14 મી સિઝન માટેના ઓકશન (IPL Auction) ને લઇને કોવિડ-19 ના માહોલને લઇને કેટલાક નિયમો BCCI ઘડ્યા છે. જેનુ પાલન ટીમના માલિકો અને અધિકારીઓએ કરવુ પડશે. IPL 2021 માટે હરાજી ચેન્નાઇ (Chennai) માં થનારી છે.
ક્રિકબઝની એક રિપોર્ટનુસાર બીસીસીઆઇ એ ચેન્નાઇમાં IPLના ઓકશનમાં ભાગ લેનાર માટે માપદંડ તૈયાર કર્યા છે. ક્રિકેટ ટુર્નામેન્ટ શરુ થાય એ પહેલા ખેલાડીઓએ ક્વોરન્ટાઇન રહેવુ પડે છે. પરંતુ ઓકશન માટે પણ IPL ફેન્ચાઇઝી ના માલિક અને અધિકારીઓએ જોકે તેમાંથી નહી પસાર થવુ પડે. જોકે તેમણે ઓકશનના 72 કલાક પહેલા આરટી-પીસીઆર ટેસ્ટ ના બે નેગેટીવ રીપોર્ટ રજૂ કરવા પડશે.
ચેન્નાઇ ની જે હોટલમાં IPL ઓકશન યોજાશે, તે સ્થળે પણ તમામ લોકોનો એક એક કોરોના ટેસ્ટ થશે. જેને લઇને BCCI સીઇઓ હેમાંગ અમીન એ તમામને મેઇલ પણ કર્યા છે. જેમાં લખવામાં આવ્યુ છે કે, વિનંતી થી ધ્યાન રાખશો કે, ચેન્નાઇમાં ખેલાડીઓની હરાજીમાં ભાગ લેનાર ટીમના તમામ સદસ્યોએ, ઓકશનની તારીખના 72 કલાક અગાઉ આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાનો રહેશે. જે નેગેટિવ રિપોર્ટ જમા કરાવવાનો રહેશે. ચેન્નાઇમાં થનારા ઓકશનથી પહેલા હાજર સદસ્યો માટે કાર્યક્રમ સ્થળ પર પણ એક પરિક્ષણ કરવામાં આવશે.