IPL 2022 : અર્જુન તેંડુલકર ફરી એક વાર ડેબ્યૂ ચૂક્યો, જાણો કેપ્ટન રોહિત શર્માએ શું કહ્યું

પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL )માં પદાર્પણ કરવા માટે ફરી એક વર્ષ રાહ જોવી પડશે. IPL 2021 પછી IPL 2022 માં પણ અર્જુન તેંડુલકરને એક પણ મેચ રમવાની તક મળી નથી.

IPL 2022 : અર્જુન તેંડુલકર ફરી એક વાર ડેબ્યૂ ચૂક્યો, જાણો કેપ્ટન રોહિત શર્માએ શું કહ્યું
અર્જુન તેંડુલકર ફરી એક વાર ડેબ્યૂ ચૂક્યોImage Credit source: : Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2022 | 12:43 PM

IPL 2022: ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરનો પુત્ર અને મુંબઈ ઈન્ડિયન્સનો ઓલરાઉન્ડર અર્જુન તેંડુલકર ફરી એકવાર ડેબ્યૂથી ચુકી ગયો. MI તેને છેલ્લી બે સિઝનથી ટીમમાં લઈ રહ્યા છે, પરંતુ તે માત્ર નેટ બોલર તરીકે જ રહ્યો છે. દિલ્હી કેપિટલ્સ સામેની લીગની છેલ્લી મેચમાં પણ કેપ્ટન રોહિત શર્માને તેના પર વિશ્વાસ નહોતો. અર્જુનને એક પણ તક ન આપવા પર સતત સવાલો ઉઠી રહ્યા છે.

કેપ્ટન રોહિત શર્માએ શું કહ્યું?

કેપ્ટન રોહિત શર્માએ ટોસ પછી કહ્યું, “અમે સારું પ્રદર્શન કર્યું છે અને લક્ષ્યનો પીછો કરવા માંગીએ છીએ.   અમે છેલ્લી કેટલીક મેચોમાં ભવિષ્ય પર નજર રાખવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ જીત મહત્વપૂર્ણ છે કારણ કે તે આત્મવિશ્વાસ આપે છે. અમે આ સિઝનને ઉચ્ચ સ્તરે સમાપ્ત કરવા માંગીએ છીએ.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

કેપ્ટને કહ્યું કે, ડેવાલ્ડ બ્રેવિસે ટ્રિસ્ટન સ્ટબ્સની જગ્યા લીધી છે. તે જ સમયે, સંજય યાદવની જગ્યાએ હૃતિક શોકીનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સ્વાભાવિક રીતે જ કેપ્ટનનું ધ્યાન મેચ જીતવા પર હોય છે,બીજી તરફ, દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે ટોસ પછી કહ્યું, “અમે પહેલા બોલિંગ કરવા માંગતા હતા, પરંતુ ટોસ હારી ગયા.

તમને જણાવી દઈએ કે મેગા ઓક્શનમાં 22 વર્ષીય અર્જુન તેંડુલકરને મુંબઈ ઈન્ડિયન્સે 30 લાખ રૂપિયામાં લીધો હતો. ગત સિઝનમાં પણ અર્જુન તેંડુલકર મુંબઈ ઈન્ડિયન્સની સાથે હતો, ત્યારે મુંબઈએ અર્જુન તેંડુલકરને 20 લાખ રૂપિયામાં પોતાની સાથે લીધો હતો.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) સીઝનમાં રિષભ પંત (Rishabh Pant) ની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) એ પ્લેઓફમાં જવાનું સ્વપ્ન ગુમાવ્યું હતું. શનિવારે તેને મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ના હાથે 5 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હાર બાદ રિષભ પંતના ચહેરા પર પણ નિરાશા જોવા મળી હતી.

ટોસ જીતીને રોહિત શર્મા (Rohit Sharma) એ રન ચેઝ કરવાની યોજના અમલમાં મુકી હતી. દિલ્હીએ પ્રથમ બેટીંગ કરતા 7 વિકેટ ગુમાવીને 159 રનનો સ્કોર કર્યો હતો. જવાબમાં મુંબઈએ લક્ષ્યનો પિછો શરુ કર્યો હતો. રોહિત શર્માએ ફરી એકવાર નિરાશ કર્યા હતા. તે 2 રનની નાનકડી ઈનીંગ રમીને આઉટ થયો હતો. ઈશાન કિશન (Ishan Kishan), ડેવાલ્ડ બ્રેવિસ અને ટિમ ડેવિડે સારી રમત રમી હતી.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">