IPL 2021: સુરેશ રૈનાએ ઋષભ પંતને લઈને કહ્યું, જે આવે એ ઘંટ સમજીને વગાડી જાય છે!

ટીમ ઈન્ડીયા (Team India)ના વિકેટકીપર બેટ્સમેન અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ના કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant) આજકાલ ખૂબ ચર્ચામાં છે. અગાઉ પોતાના ખરાબ ફોર્મ અને શોટ સિલેકશનને લઈને ટીકાકારોના નિશાને પણ ચઢી ચુક્યો હતો.

IPL 2021: સુરેશ રૈનાએ ઋષભ પંતને લઈને કહ્યું, જે આવે એ ઘંટ સમજીને વગાડી જાય છે!
Rishabh Pant-Suresh Raina
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 02, 2021 | 6:02 PM

ટીમ ઈન્ડીયા (Team India)ના વિકેટકીપર બેટ્સમેન અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ના કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant) આજકાલ ખૂબ ચર્ચામાં છે. અગાઉ પોતાના ખરાબ ફોર્મ અને શોટ સિલેકશનને લઈને ટીકાકારોના નિશાને પણ ચઢી ચુક્યો હતો. પરંતુ હવે જાન્યુઆરીથી તેનો સમય બદલાઈ ચુક્યો છે. તેની ચોતરફ તારીફ થવા લાગી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ અને ઈંગ્લેન્ડ સામેની ઘરેલુ શ્રેણીઓમાં તેના શાનદાર પ્રદર્શને હવે તેનો સમય બદલી દીધો છે. ટીકાકારો હવે તેની વાહવાહીમાં લાગી ચુક્યા છે. ગત વર્ષે તેણે ટીમ મર્યાદિત ઓવરોની ઈલેવનથી બહાર બેસવુ પડ્યુ હતુ. આ દરમ્યાન પૂર્વ ક્રિકેટર સુરેશ રૈના (Suresh Raina)એ પણ પંતના ટીકાકારોને મસ્ત અંદાજથી જવાબ આપ્યો છે.

હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીત દરમ્યાન સુરેશ રૈનાએ કહ્યું હતુ કે કોઈ પણ તેને મંદિરનો ઘંટ સમજીને વગાડીને ચાલ્યો જઈ રહ્યો હતો. પહેલા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જ એવુ લાગતુ હતુ કે, તે દરેક બોલને હિટ કરવા માંગે છે. ઈંગ્લેન્ડ સામે પણ એમ લાગતુ હતુ કે, જેક લીચના દરેક બોલ પર તે છગ્ગો લગાવવા ઈચ્છે છે. આવામાં સ્ટ્રોક પ્લેયર આઉટ થઈ જાય છે તો તમારે એનો સપોર્ટ કરવો જોઈએ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

રૈનાએ આગળ કહ્યુ હતુ કે, બ્રાયન લારા કહેતા હતા કે જ્યારે સમય સારો હોય ત્યારે ખેલાડી રન બનાવતો હોય છે. જ્યારે સમય ખરાબ હોય તો તે રનથી સમજી લેવુ જોઈએ કે ખેલાડીમાં કેટલો દમ છે. ઋષભ પંતને પીઠબળ આપવાની જરુર છે, જે કેપ્ટન વિરાટ કોહલીએ નથી કર્યુ. પંત ઓછામાં ઓછુ 10-15 વર્ષ સુધી ટીમ ઈન્ડીયા માટે રમશે.

ઋષભ પંતને હાલમાં જ આઈપીએલની આગામી સિઝન માટે દિલ્હીના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. તેણે અનેક અનુભવી ખેલાડીઓને પાછળ મુકીને 23 વર્ષની વયે જ કેપ્ટનશીપ મેળવી છે. 2016થી પંત આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ સાથે જોડાઈને ડેબ્યુ કર્યુ હતુ. ત્યારબાદથી દિલ્હીનો તે એક મજબૂત હિસ્સો તેના પ્રદર્શન દ્વારા બની ગયો હતો.

આ પણ વાંચો: શ્રેયસ ઐયરને ખભાની ઈજાને લઈને કરાશે સર્જરી, જૂલાઈમાં ઈંગ્લેન્ડની ટુર્નામેન્ટ પણ ગુમાવવાની સંભાવના

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">