IPL 2021: વધતા કોરોનાને લઇ ન્યુઝીલેન્ડને તેના ક્રિકેટરોની ચિંતા, સ્થિતીનુસાર લઇ શકે છે મોટો નિર્ણય
ભારતમાં વધતા જતા કોરોનાના પ્રમાણને લઇને ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ (New Zealand Cricket Board) દ્રારા IPL 2021 માં સામેલ પોતાના ખેલાડીઓને લઇને મોટો નિર્ણય લઇ શકે છે.
ભારતમાં વધતા જતા કોરોનાના પ્રમાણને લઇને ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ (New Zealand Cricket Board) દ્રારા IPL 2021 માં સામેલ પોતાના ખેલાડીઓને લઇને મોટો નિર્ણય લઇ શકે છે. કોરોનાનુ વધતુ પ્રમાણ જોઇને ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ પોતાના ખેલાડીઓને ટુર્નામેન્ટમાંથી પરત બોલાવી શકે છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટ દ્રારા કહેવામાં આવ્યુ છે કે, તે પરિસ્થિતી પર લગાતાર નજર બનાવી રહ્યા છે. સાથે જ તેઓ IPL ફેન્ચાઇઝીઓના સંપર્કમાં પણ છે. ન્યુઝીલેન્ડ તરફથી આઠ ક્રિકેટર આઇપીએલમાં હિસ્સો લઇ રહ્યા છે.
સમાચાર સંસ્થાની જાણકારી મુજબ ન્યુઝીલેન્ડના પબ્લિક અફેયર મેનેજર રિચર્ડ બોક એ ન્યુઝીલેન્ડ હેરાલ્ડને બતાવ્યુ હતુ કે, અમે સ્થિતીને મોનિટર કરી રહ્યા છીએ. આ ઉપરાંત પણ અમે આઇપીએલની ફેન્ચાઇઝીઓની સાથએ લગાતાર સંપર્કમાં છીએ જેથી વાતચીતોનો માર્ગ સરળ રહે. કારણ કે હાલમાં ટુર્નામેન્ટની શરુઆતનો સમય છે. અમે તમામ પ્રકારની સંભાવનાઓને લઇને વાત કરવા માટે તૈયાર છીએ, જો સ્થિતી વધારે વણસે તો. જોકે ટેસ્ટ ટીમના ખેલાડી માટે એ વધારે મહત્વનુ હશે કે તે ઇંગ્લેંડ (England) નો પ્રવાસ જારી રાખી શકે.
ન્યુઝીલેન્ડ સરકાર દ્રારા હાલમાં ભારત તરફથી આવતા પ્રવાસીઓ માટે પ્રતિબંધ લગાવ્યો છે. ભારતથી ન્યુઝીલેન્ડ પહોંચેલા 23માંથી 17 લોકો કોરોના પોઝિટીવ આવ્યા છે. જેને લઇને ન્યુઝીલેન્ડની સરકાર દ્રારા આ બાબત પર સતર્કતા દાખવી છે. તો વળી આ દરમ્યાન હવે ન્યુઝીલેન્ડનુ ક્રિકેટ બોર્ડ પણ એકશનમાં આવી ચુક્યુ છે.
ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા અર્ડને (Jacinda Ardern) પણ કહ્યુ હતુ કે, તેમના માટે આઠ ખેલાડીઓની સુરક્ષા ખુબ જ મહત્વપૂર્ણ છે. જે માટેની જવાબદારી ન્ચુઝીલેન્ડ ક્રિકેટ છે. IPL 2021 ની સિઝનની શરુઆત આજે શુક્રવારે સાંજથી થનારી છે. શરુ થઇ રહેલી સિઝનમાં કેન વિલિયમસન, જેમ્સ નિશમ, ટ્રેન્ટ બોલ્ટ જેવા મોટા સ્ટાર ખેલાડીઓ પણ સામેલ છે. તેઓ હાલમાં ચૂસ્ત બાયોબબલ હેઠળ છે. જ્યાં આયોજકો દ્રારા કડકાઇ પૂર્વક કોરોના ગાઇડલાઇન્સનુ પાલન કરવામાં આવી રહ્યુ છે.