IPL 2021ની મીનિ હરાજી BCCI દ્વારા 18 ફેબ્રુઆરીથી, નક્કી કરાયું આ સ્થળ
IPL 2021 માટેની મીનિ હરાજી બીસીસીઆઈ દ્વારા 18 ફેબ્રુઆરીએ કરવામાં આવશે. તેની તારીખની ઘોષણા થયા બાદ હવે તે ક્યાં યોજવામાં આવશે તેની ઘોષણા કરવામાં આવી છે.
IPL 2021 માટેની મીનિ હરાજી બીસીસીઆઈ દ્વારા 18 ફેબ્રુઆરીએ કરવામાં આવશે. તેની તારીખની ઘોષણા થયા બાદ હવે તે ક્યાં યોજવામાં આવશે તેની ઘોષણા કરવામાં આવી છે. આ સીઝન માટેની આઈપીએલની હરાજી 18 ફેબ્રુઆરીએ ચેન્નઇમાં થશે. ચેન્નાઈ આ વખતે આઈપીએલ હરાજીનું આયોજન કરશે જ્યાં લીગની તમામ આઠ ફ્રેન્ચાઇઝી ખેલાડીઓ માટે બોલી લગાશે. આઈપીએલ 2021 ની હરાજીના સ્થળની જાહેરાત ઇન્ડિયન પ્રીમિયર લીગની સત્તાવાર વેબ સાઇટ ટ્વિટર દ્વારા કરવામાં આવી હતી.
https://twitter.com/IPL/status/1354337574735597568
આ વખતે હરાજી પહેલા આઈપીએલની ટીમોએ થોડા દિવસો પહેલા જ રિલીઝ અને રિટેન રાખેલા ખેલાડીઓના નામની ઘોષણા કરી હતી. આ વખતે આરસીબીએ તેમની ટીમમાંથી મહત્તમ 10 ખેલાડીઓને રિલીઝ કર્યા હતા.