IPL 2020: રૈના અને ભજ્જી નહીં હોવાથી CSKને કોઈ ફેર નહીં પડે, આ પૂર્વ ખેલાડીએ કહ્યું કે ટીમની બાજી ધોની સંભાળી લેશે

એમએસ ધોની અને તેમની ટીમ સાથે દુબઈ પહોંચ્યા બાદ તેને ઘણા ખરાબ સમાચારનો સામનો કરવો પડ્યો હતો. ટીમના બે ખેલાડીઓ અને અન્ય સભ્યોને કોરોના પોઝિટીવ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદના ટુંકાગાળામાં જ ટીમના સ્ટાર બેટ્સમેન સુરેશ રૈનાએ આઈપીએલની 13મી સિઝનમાં નહીં રમવાનો નિર્ણય લીધો અને દુબઈ છોડીને ભારત પરત ફરી ગયો. ત્યારપછી થોડા દિવસો બાદ […]

IPL 2020: રૈના અને ભજ્જી નહીં હોવાથી CSKને કોઈ ફેર નહીં પડે, આ પૂર્વ ખેલાડીએ કહ્યું કે ટીમની બાજી ધોની સંભાળી લેશે
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 18, 2020 | 4:17 PM

એમએસ ધોની અને તેમની ટીમ સાથે દુબઈ પહોંચ્યા બાદ તેને ઘણા ખરાબ સમાચારનો સામનો કરવો પડ્યો હતો. ટીમના બે ખેલાડીઓ અને અન્ય સભ્યોને કોરોના પોઝિટીવ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદના ટુંકાગાળામાં જ ટીમના સ્ટાર બેટ્સમેન સુરેશ રૈનાએ આઈપીએલની 13મી સિઝનમાં નહીં રમવાનો નિર્ણય લીધો અને દુબઈ છોડીને ભારત પરત ફરી ગયો. ત્યારપછી થોડા દિવસો બાદ સિનિયર સ્પીનર ​​હરભજનસિંહે પણ જાહેરાત કરી કે તે આ સિઝનમાં નહીં રમે. જો કે રૈના ભારત પાછા આવ્યા પહેલા થોડા દિવસો માટે ટીમની સાથે હતો, જ્યારે ભજ્જી સીએસકે સાથે જોડાયો પણ ન હતો. સીએસકે ચોથી વાર ટાઈટલ વિજેતા પર નજર રાખી રહી છે. પરંતુ તેમના આ લક્ષ્યને આંચકો લાગ્યો હતો, કારણ કે ટીમના બે શ્રેષ્ઠ ખેલાડીઓએ નામ પાછા ખેંચી લીધા હતા.

IPL 2020: raina ane bhaji nahi hovathi CSK ne koi fer nahi pade aa purva kheladi e kahyu ke team ni baji dhoni sambhadi lese

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જો કે ભારતના ભૂતપૂર્વ ઓપનર બેટ્સમેન શ્રીકાંત આમ માનતા નથી. તેમને વિશ્વાસ છે કે ધોની સામના ભરી રીતે ટીમને લીડ કરશે અને આ સિઝનમાં તેની ટીમને મુશ્કેલીમાંથી બહાર રાખશે. શ્રીકાંતે કહ્યું કે સીએસકે ચોક્કસપણે રૈનાની ખોટ સાલસે. તે ખેલાડી અને બેટ્સમેન તરીકે ટીમ માટે ખૂબ મહત્વનો છે સાથે સાથે તે એક ઉત્તમ ફિલ્ડર અને પાર્ટ ટાઈમ બોલર પણ છે. આ સિવાય તે ટીમનો ઉપ-કેપ્ટન છે, જે ધોનીને સંપૂર્ણ ટેકો આપતો હતો. રૈના ટીમમાં હોય તો ટીમને વધારે એનર્જી મળે પણ તેઓ આ બધુ ચીજો ચૂકી ગયા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Dhoni na fans mate mahatva na samachar UAE ma pohchya pachi prathamvar jova malyo mahi no aa andaj

તેમણે હરભજન સિંહ વિશે કહ્યું કે તે યુએઈ સ્પીન ટ્રેક પર ખૂબ અસરકારક સાબિત થયો હોત અને તેથી જ સીએસકેને તેના અનુભવની ખોટ સાલસે. તેણે ગઈ સિઝનમાં આ ટીમ માટે ખરેખર સારું પ્રદર્શન કર્યું હતું. સીએસકે માટે આ બે મોટા નુકસાન છે અને હવે તે બાબતને પુરી કરવી સંપૂર્ણ રીતે ધોનીના હાથમાં છે. તેઓ આ બાબતને સારી રીતે સંભાળશે. આટલું જ નહીં, આ બંને ટીમમાં ન હોવાની સ્થિતિમાં પણ સારું પ્રદર્શન કરશે, કારણ કે તેમની પાસે ઘણી સંભાવનાઓ છે. તેમણે કહ્યું કે મુરલી વિજય માટે આ સારી તક છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">