INDvsENG: અશ્વિનની મુછ મુંડાવવાની શરત પર ચેતેશ્વર પુજારાએ કહ્યુ શતકને બેવડી સદીમાં પલટી શકુ છું
ઇંગ્લેંડ સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતીય સ્પિનર આર અશ્વિન (R Ashwin) એ મુંછો એવી શોભા આપશે જેવી પહેલા આપી રહી હતી. હવે તેણે પોતાની અડધી મુંછ નહી મુંડાવવી પડે. કારણ કે તેણે આપેલી ચેલેન્જ પર ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) એ જવાબ વાળ્યો છે.
ઇંગ્લેંડ સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતીય સ્પિનર આર અશ્વિન (R Ashwin) એ મુંછો એવી શોભા આપશે જેવી પહેલા આપી રહી હતી. હવે તેણે પોતાની અડધી મુંછ નહી મુંડાવવી પડે. કારણ કે તેણે આપેલી ચેલેન્જ પર ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) એ જવાબ વાળ્યો છે. અશ્વિન એ ઇંગ્લેંડ સામે ટેસ્ટ સિરીઝ (India vs England Series) માટે પુજારા સામે એક શરત મુકી હતી, જે પુર્ણ થાય તો અશ્વિન અડધી મુંછ મુંડાવીને મેદાનમાં ઉતરશે.
હાલમાં યુટ્યુબ પર આપવામાં આવેલા એક ઇન્ટરવ્યુમાં જ્યારે પુજારાને, અશ્વિનની ચેલેન્જનો સવાલ કરાયો તો તેણે જવાબ આપ્યો હતો. પુજારા એ તે વાતને નકારી દીધી હતી. તેમનો આ ચેલેન્જ ને મહત્વ આપવાનો ઇરાદો નથી લાગતો. તે જેવા છે, તેવા જ રહેશે. સાથે જ જેમ રમે છે, તેમ જ રમશે.
ભારતીય ટેસ્ટ ટીમ ના મિડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ કહ્યુ, મે અશ્વિનની ચેલેન્જ માટે સાંભળ્યુ છે. તેમણે એ વાતોને મજાકની અદામાં કહી છે. એટલા માટે હું સિરીયસલી નથી લેતો. હું જેમ છે એમ જ રહીશ. મારા માટે ટીમના માટે રન બનાવવા, સ્કોર કરવો એ જ મહત્વનુ છે. એ જરુરી નથી કે હું રન કેવી રીતે બનાવુ છે. હું શતક ને બેવડા શતકમાં બદલી શકુ છુ. પરંતુ હું એ નહી કરુ જે અશ્વિન એ ચેલેન્જ કરી છે.
આમ અશ્વિનની ચેલેન્જ પર પુજારાએ પુરો જવાબ આપ્યો છે. તો અશ્વિનની ચેલેન્જ પણ શુ હતી એ પણ જણાવી દઇએ. અશ્વિ એ શરત કરી હતી કે, ઇંગ્લેંડના સ્પિનર ના માથા પર થઇને હવામાં શોટ લગાવી દીધો તો અડધી મુંછ કપાવી લઇશ. આમ હવે પુજારાએ જવાબ આપી દેવાને લઇને એ વાત સ્પષ્ટ થઇ ચુકી છે કે હવે તેની ચેલેન્જની કોઇ અસર નથી થવાની.