INDvsAUS: સમસ્યાઓના સમાધાન રુપ ગાવાસ્કરની સલાહ, રાહુલ કે ગીલ કોણ કરી શકે ઓપનીંગ
એડિલેડ ટેસ્ટની બીજી પારીની નિરાશાજનક રમત બાદ હવે, ટીમ ઇન્ડીયા બીજી ટેસ્ટની તૈયારીમાં લાગ્યુ છે. જે ટેસ્ટમાં હવે બદલાવ થવાનુ નક્કી છે. કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરી પર એક બદલાવ ફરજીયાત છે. જ્યારે બીજો બદલાવ ઓપનીંગ સ્લોટ છે. જ્યાં પૃથ્વી શો નુ બહાર થવુ નક્કિ માનવામાં આવી રહ્યુ છે. આવામાં યુવા બેટ્સમેન શુભમન ગીલ અને સિનીયર […]
એડિલેડ ટેસ્ટની બીજી પારીની નિરાશાજનક રમત બાદ હવે, ટીમ ઇન્ડીયા બીજી ટેસ્ટની તૈયારીમાં લાગ્યુ છે. જે ટેસ્ટમાં હવે બદલાવ થવાનુ નક્કી છે. કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરી પર એક બદલાવ ફરજીયાત છે. જ્યારે બીજો બદલાવ ઓપનીંગ સ્લોટ છે. જ્યાં પૃથ્વી શો નુ બહાર થવુ નક્કિ માનવામાં આવી રહ્યુ છે. આવામાં યુવા બેટ્સમેન શુભમન ગીલ અને સિનીયર બેટસમેન કેએલ રાહુલ ને ટીમમાં સ્થાન મળી શકે છે. આમ છતાં પણ મોટો સવાલ એ છે કે ઓપનીંગ કોણ કરશે. સુનિલ ગાવાસ્કરે જેને લઇને એક સલાહ આપી છે.
પૂર્વ શ્રેષ્ઠ ઓપનર રહેલા ગાવાસ્કરનુ માનવુ છે કે, મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રાહુલ પારીની શરુઆત કરે. આ સાથએ જ શુમભનને મિડલ ઓર્ડરમાં ઉતારવામાં આવે. ગાવાસ્કરે એક સ્પોર્ટસ ચેનલ સાથે વાત કરતા કહ્યુ હતુ કે, ભારત બે બદલાવ કરી શકે છે. પહેલો બદલાવ ઓપનર પૃથ્વી શોની જગ્યાએ કેએલ રાહુલને તક આપવામાં આવે. પાંચમાં અથવા છઠ્ઠા નંબર પર શુભમન ગીલે આવવુ જોઇએ. તે સારા ફોર્મમાં છે. જો આપણે સારી શરુઆત કરીએ છીએ, તો ચીજો બદલાઇ શકે છે.
ગાવાસ્કરે આ સાથે ભારતીય ટીમને એક ચેતાવણી પણ આપી છે કે, સકારાત્મક વલણ અપનાવવુ પડશે. તેમણે કહ્યુ કે, ભારતે વિશ્વાસ રાખવો પડશે તેઓ સીરીઝની બાકીની મેચોમાં વાપસી કરી શકે છે. જો ભારત સકારાત્મક વલણ નહી અપનાવે તો 4-0 થી સીરીઝ ગુમાવવી પડી શકે છે. જોતે સકારાત્મકતા અપનાવી કેમ ના શકે, આમ કરી શકાય. તેમનુ માનવુ છે કે, સારી શરુઆતની જરુર છે. ઓસ્ટ્રેલીયાની કમજોરી તેની બેટીંગ છે.
ફીલ્ડીંગનો સુધારો આપી શકે છે , ફાયદો. દિગ્ગજ ગાવાસ્કરે સાથે જ ખરાબ ફીલ્ડીંગને લઇને પણ કંગાળ સ્થિતીનો દોષ આપ્યો છે. તેઓ કહે છે કે, જો કેચ ઝડપવામાં આવ્યા હોત તો ટીમની સ્થિતી સારી હોત. જો કેચ ઝડપતા અને યોગ્ય જગ્યા પર ફીલ્ડર ઉભા રાખ્યા હોત તો કદાચ કશી સમસ્યા ન હોત. ટિમ પેન અને માર્નસ લાબુશેન જલ્દી આઉટ થઇ જતા. અમે આપણે 120 રનની લીડ હાંસલ કીર શક્યા હોત. ઓસ્ટ્રેલીયા આ ડ્રોપ કરેલા કેચ થી વાપસીમાં સફળ રહ્યુ. આમ ભારતની લીડ 50 સુધી સીમીત રહી.