IND vs SL:બીજી ટી-20 મેચમાં ફેન્સને ખુબ ફોર અને સિક્સર જોવા મળશે, મેચમાં ઝાકળની અસર ના પડે તેના માટે ખાસ વ્યવસ્થા
ભારત અને શ્રીલંકાની ટીમ બીજી ટી-20 મેચ માટે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. સીરીઝની બીજી ટી-20 મેચમાં ઝાકળની અસર ના પડે તેના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુવાહાટીમાં પ્રથમ ટી-20 મેચ વરસાદના કારણે રદ થઈ હતી. ત્યારે મધ્યપ્રદેશ ક્રિકેટ એશોસિએશને (MPCA) સ્ટેડિયમની આઉટફીલ્ડ પર સ્પેશિયલ કેમિકલનો ઉપયોગ કર્યો છે. છેલ્લા ત્રણ દિવસથી આ કેમિકલ […]
ભારત અને શ્રીલંકાની ટીમ બીજી ટી-20 મેચ માટે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. સીરીઝની બીજી ટી-20 મેચમાં ઝાકળની અસર ના પડે તેના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુવાહાટીમાં પ્રથમ ટી-20 મેચ વરસાદના કારણે રદ થઈ હતી.
ત્યારે મધ્યપ્રદેશ ક્રિકેટ એશોસિએશને (MPCA) સ્ટેડિયમની આઉટફીલ્ડ પર સ્પેશિયલ કેમિકલનો ઉપયોગ કર્યો છે. છેલ્લા ત્રણ દિવસથી આ કેમિકલ છાંટવામાં આવી રહ્યું છે. MPCA ચીફ સમંદર સિંહ ચૌહાને કહ્યું કે ફેન્સને મેચમાં ખુબ ફોર અને સિક્સર જોવા મળશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મેચ સાંજે 7 વાગ્યાથી શરૂ થશે, ત્યારે ઝાકળ એક મહત્વનું ફેક્ટર સાબિત થઈ શકે છે. ખાસ કરીને બીજી ઈનિંગમાં, મેચ પર ઝાકળની અસર ઓછામાં ઓછી રહે તે માટે મેદાનના ઘાસને ત્રણ દિવસથી પાણી આપવામાં આવ્યું નથી. ઈન્દોરની પિચ બેટ્સમેન માટે મદદગાર માનવામાં આવે છે.
પ્રથમ મેચ રદ થવાના કારણે બાકીની બે મેચ મહત્વની થઈ ગઈ છે. આ મેદાન પર એક જ ટી-20 મેચ રમાઈ છે. જે ભારત અને શ્રીલંકાની વચ્ચે જ રમાયેલી છે. 22 ડિસેમ્બર 2017ના રોજ રમાયેલી મેચમાં ભારતે 88 રનથી જીત મેળવી હતી. રોહિત શર્માએ સદી ફટકારી હતી, ત્યારે ભારતીય ટીમે ટી-20નો પોતાનો બેસ્ટ સ્કોર 260 રન બનાવ્યો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: ઈંદોર ખાતે ભારતીય ટીમ શ્રીલંકાની સામે જીતી જ રહી છે! કંઈક આવો છે ઈતિહાસ
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]