IND vs SL: ટીમ ઇન્ડીયાના શ્રીલંકા પ્રવાસને લાગી શકે છે ગ્રહણ, શ્રીલંકામાં ટુર્નામેન્ટ યોજવા પર સંકટ
ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે મર્યાદીત ઓવરોની સિરીઝ રમાનારી છે, પરંતુ હવે તેની પર પણ સંકટ તોળાવા લાગ્યુ છે. આાગામી જૂલાઇ માસમાં ભારતીય ટીમ (Team India) શ્રીલંકાનો પ્રવાસ ખેડનારી છે, જ્યાં શ્રીલંકા (SriLanka) સામે ત્રણ ત્રણ વન ડે અને T20 મેચની શ્રેણી રમાનારી છે.
ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે મર્યાદીત ઓવરોની સિરીઝ રમાનારી છે, પરંતુ હવે તેની પર પણ સંકટ તોળાવા લાગ્યુ છે. આાગામી જૂલાઇ માસમાં ભારતીય ટીમ (Team India) શ્રીલંકાનો પ્રવાસ ખેડનારી છે, જ્યાં શ્રીલંકા (SriLanka) સામે ત્રણ ત્રણ વન ડે અને T20 મેચની શ્રેણી રમાનારી છે.
જોકે હવે શ્રીલંકામાં પણ કોરોના નુ પ્રમાણ વધવા લાગતા શ્રેણી રમાવા પર સવાલ થવા લાગ્યા છે. ટુર્નામેન્ટ ને હાલમાં ટાળી દેવામાં આવી શકે છે અને ફરી થી કાર્યક્રમ જાહેર થઇ શકે છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડ પણ આ મામલે ચિંતા અનુભવી રહ્યુ છે.
હાલમાં કોરોનાની શ્રીલંકામાં સ્થિતી જોવામાં આવે તો, એક સપ્તાહમાં 16 હજાર થી વધારે નવા કેસ સામે આવી રહ્યા છે. જ્યારે 145 થી વધારે લોકોના મોત નિપજ્યા છે. અગાઉ પણ આ સિરીઝને વર્ષ 2020ના જૂન માસમાં રમાનારી હતી.પરંતુ તે વેળા પણ કોરોના મહામારીને લઇને ટુર્નામેન્ટને સ્થગીત કરીને ચાલુ વર્ષે તેનુ આયોજન આગામી જૂલાઇ માસમાં કરવામાં આવ્યુ હતુ.
જોકે હવે કોરોના વાયરસનુ પ્રમાણ શ્રીલંકામાં વધવા લાગતા હવે ટુર્નામેન્ટ પર સંકટ તોળાવા લાગ્યુ છે. શ્રીલંકામાં વધતા કોરોના ને લઇને બોર્ડના સીઇઓ એશ્લે ડિ સિલ્વા એ કહ્યુ હતુ કે, કોરોના એક મોટી ચિંતા છે. જોકે બોર્ડના સિનિયર અધિકારીએ કહ્યુ હતુ કે, કોરના દરમ્યાન કોરોના કાળમાં જ સફળતાપૂર્વક ઇંગ્લેંડ અને બાકીની ટીમોની યજમાની કરી હતી. અમને ભરોસો છે કે, ભારતની યજમાની કરવામાં સક્ષમ રહીશુ. શ્રીલંકા પ્રવાસ દરમ્યાન વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહ સામેલ નહી હોય