IND vs ENG: વિરાટ કોહલીની ‘ગીલ્લી’ ઉડી ગઈ છતાં બેખબર રહ્યો કે આઉટ કેવી રીતે થયો
ક્રિકેટમાં એવુ ઓછુ જોવા મળે છે કે, કોઈ બેટ્સમેન આઉટ થાય તો પોતાને પણ સમજણ ના પડે કે કેવી રીતે આઉટ થયો. પરંતુ ઈંગ્લેન્ડ અને ભારત (India vs England) વચ્ચે રમાઈ રહેલી ચેન્નાઈ ટેસ્ટ (Chennai Test)માં આવો જ એક નજારો જોવા મળ્યો હતો.
ક્રિકેટમાં એવુ ઓછુ જોવા મળે છે કે, કોઈ બેટ્સમેન આઉટ થાય તો પોતાને પણ સમજણ ના પડે કે કેવી રીતે આઉટ થયો. પરંતુ ઈંગ્લેન્ડ અને ભારત (India vs England) વચ્ચે રમાઈ રહેલી ચેન્નાઈ ટેસ્ટ (Chennai Test)માં આવો જ એક નજારો જોવા મળ્યો હતો. તે બેટ્સમેન હતો ટીમ ઈન્ડીયા (Team India)નો કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli). તેની સામે હતા ઈંગ્લેન્ડના સ્પિનર મોઈન અલી (Moin Ali).
ચાર મેચોની શ્રેણીમાં બીજી મેચમાં પ્રથમ ઈનીંગ રમતા કોહલી ખાતુ ખોલાવ્યા વિના જ પરત પેવેલિયન ફર્યો હતો. તેને પોતાના આઉટ થવાની સમજણ ત્યારે પડી શકી જ્યારે ઈંગ્લીંશ ખેલાડીઓ ખુશીથી ઝુમવા લાગ્યા હતા. જોકે તો પણ તેને એ વાતની સમજણ ના પડી શકી કે, તે આઉટ થયો કેવી રીતે. કોહલી તેના ટેસ્ટ કેરિયરમાં પહેલી વખત કોઈ સ્પિનરના હાથે શૂન્ય પર આઉટ થયો હતો.
https://twitter.com/cxn_amir/status/1360469275165663234?s=20
મોઈન અલી ભારતીય ઈનીંગની 22મી ઓવર લઈને આવ્યો હતો. ઓફ સ્ટંપની બહાર ટર્નિંગ સ્પોટ પર પડેલો બોલ બેટની અંદરથી નિકળીને ગીલ્લી ઉડાવી નિકળ્યો. એ સાથે જ ઈંગ્લીશ ખેલાડીઓ ઝુમવા લાગ્યા હતા. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આઉટ થવાના બાદ પણ એ વાતની સમજણ ના પડી રહી કે તે કેવી રીતે આઉટ થયો હતો. તેના આઉટ થવા બાદ પણ ખાસ્સી વાર સુધી પીચ પર ઉભો રહ્યો હતો. એટલે કે સુધી તેની આ મુંઝવણ ચાલી રહી કે, તેણે આખરે નોન સ્ટ્રાઈકર છેડે રહેલા રોહિત શર્માને પુછ્યુ કે શું તે સ્ટંપ આઉટ થયો હતો. જેનો નિર્ણય થર્ડ અંપાયરે આપ્યો કે તે ક્લીન બોલ્ડ થયો છે. રિપ્લેમાં સ્પષ્ટ નજર આવ્યુ હતુ કે, કોહલી ક્લીન બોલ્ડ આઉટ થયો હતો. કોહલીએ 5 બોલની રમત છ મીનીટ સુધી રમીને પેવેલિયન પરત ફર્યો હતો.
ઈંગ્લેન્ડના સ્પિનર મોઈન અલી હવે દુનિયાનો પહેલો એવો બોલર બની ચુક્યો છે, જેણે ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીને શૂન્ય રન પર આઉટ કર્યો છે. બીજી ટેસ્ટમાં ભારતીય ટીમની શરુઆત કંઈક ખાસ રહી નહોતી. શુભમન ગીલ પણ ખાતુ ખોલાવ્યા વિના જ પરત ફર્યો હતો. ચેતેશ્વર પુજારા પણ ક્રિઝ પર જામવા સાથે જ જેક લીચનો શિકાર થયો હતો. પુજારાએ 58 બોલમાં 21 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી જ્યારે આઉટ થયો હતો, ત્યારે ભારતીય ટીમનો સ્કોર 86 રનનો હતો. જેના બાદ અજીંક્ય રહાણે અને રોહિત શર્મા એ લંચ સુધીમાં ટીમનો સ્કોર 106 રન પર પહોંચાડ્યો હતો.
આ પણ વાંચો: IND vs ENG: ઇંગ્લેંડમાં કાઉન્ટી ક્રિકેટ રમવામાં અક્ષર પટેલનુ પ્રદર્શન રહ્યુ છે દમદાર