IND vs ENG: ટીમ ઈન્ડિયા સાથે જોડાવવા શિખર ધવન, શ્રેયસ ઐયર જયપુરથી અમદાવાદ સુધી કારથી પહોચ્યા

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન શિખર ધવન (Shikhar Dhawan) અને શ્રેયસ ઐયર (Shreyas Aiyar) ઇંગ્લેંડ સામે રમાનારી 5 મેચોની T20 શ્રેણીના માટે ટીમ ઇન્ડીયા (Team India) ની સાથે જોડાઇ ગયા છે. આજ થી શરુ થતી ટેસ્ટ મેચ બાદ આગામી 2 માર્ચ થી ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે T20 શ્રેણી રમાનારી છે.

IND vs ENG: ટીમ ઈન્ડિયા સાથે જોડાવવા શિખર ધવન, શ્રેયસ ઐયર જયપુરથી અમદાવાદ સુધી કારથી પહોચ્યા
Shikhar Dhawan-Shreyas Aiyar
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 04, 2021 | 9:47 AM

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન શિખર ધવન (Shikhar Dhawan) અને શ્રેયસ ઐયર (Shreyas Aiyar) ઇંગ્લેંડ સામે રમાનારી 5 મેચોની T20 શ્રેણીના માટે ટીમ ઇન્ડીયા (Team India) ની સાથે જોડાઇ ગયા છે. આજ થી શરુ થતી ટેસ્ટ મેચ બાદ આગામી 2 માર્ચ થી ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે T20 શ્રેણી રમાનારી છે. 5 મેચોની T20 શ્રેણી અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાનારી છે. આ માટે શિખર ધવન અને શ્રેયસ ઐયર બંને ટીમ ઇન્ડીયા સાથે જોડાઇ ગયા છે. પરંતુ તેઓ ટીમ સાથે જોડાવા માટે 11 કલાકની લાંબી સફર કારમાં કરી હતી. બંને ખેલાડીઓ વિજય હજાર ટ્રોફીમાં હિસ્સો લઇ રહ્યા હતા. જેમાં શિખર ધવન દિલ્હી અને અને ઐયર મુંબઇનુ પ્રતિનિધત્વ કરી રહ્યા છે. બંને બેટ્સમેનો જયપુર થી અમદાવાદ પહોંચ્યા હતા. તે બંને ઇંગ્લેંડ સામેની T20 શ્રેણી માટે ટીમનો હિસ્સો છે.

જયપુર થી અમવાદના લગભગ 678 કિલોમીટર સુધીનો પ્રવાસ તેઓએ કાર મારફત પુરો કર્યો હતો. તેઓ આ અંગેની જાણકારી સોશિયલ મીડિયા મારફતે આપી હતી.શિખર ધવને પોતાના ટ્વીટર એકાઉન્ટ મારફતે એક તસ્વીર તેની અને ઐયરની શેર કરી છે. જેમાં લખ્યુ છે કે, ટીમ ઇન્ડીયાની સાથે એક વાર ફરી થી જોડાતા ખૂબ સારુ લાગી રહ્યુ છે. તેની સાથે તેણે ભારતનો ઝંડો પણ લગાવ્યો છે.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

શ્રેયસ ઐયર એ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસ્વીર શેર કરી હતી. જેમાં લખ્યુ હતુ કે, 11 કલાકની લાંબી ડ્રાઇવ બાદ તેઓ અમદાવાદ પહોંચ્યા હતા. આવો જોઇએ કે આ મુસ્કાન કેટલો લાંબો સમય સુધી રહે છે.

View this post on Instagram

A post shared by Shreyas Iyer (@shreyas41)

આજે ગુરુવાર થી અમદાવાદમાં ભારત અને ઇંગ્લેંડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની અંતિમ ટેસ્ટ મેચ રમાનારી છે. ભારત ટેસ્ટ શ્રેણીમાં 2-1 થી આગળ છે. હવે શ્રેણીની જીત અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલમાં પહોંચવા માટે કમર કસતી રમત દાખવશે.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">