IND vs ENG: ઉમેશ યાદવ ફિટનેસ ટેસ્ટમાં પાર ઉતરતા મોટેરા ટેસ્ટ પહેલા રાહતના સમાચાર, ટીમમાં સામેલ કરાયો
ઝડપી બોલર ઉમેશ યાદવ (Umesh Yadav) એ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. ત્યારબાદ હવે તે ઇંગ્લેંડ સામેની અંતિમ બંને ટેસ્ટ માટે ટીમ ઇન્ડીયા (Team India) માં સામેલ કરી લેવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક નિવેદનમાં આ જાણકારી આપી હતી.
ઝડપી બોલર ઉમેશ યાદવ (Umesh Yadav) એ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. ત્યારબાદ હવે તે ઇંગ્લેંડ સામેની અંતિમ બંને ટેસ્ટ માટે ટીમ ઇન્ડીયા (Team India) માં સામેલ કરી લેવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક નિવેદનમાં આ જાણકારી આપી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યુ હતુ કે, ટીમ ઇન્ડીયાના ઝડપી બોલર ઉમેશ યાદવ 21 ફેબ્રુઆરીએ મોટેરા (Motera) માં ફિટનેશ ટેસ્ટ આપ્યો હતો, જે તેણે પાસ કરી લીધો છે. હવે તેને ભારત અને ઇંગ્લેંડ (India vs England) ટેસ્ટ શ્રેણીની અંતિમ બંને મેચ માટે ટીમમાં સામેલ કરી લેવામાં આવ્યો છે. ઉમેશ હવે અમદાવાદમાં રમાનારી ડે નાઇટ-ટેસ્ટ મેચ રમવાનુ નક્કિ માનવામાં આવી રહ્યુ છે.
https://twitter.com/BCCI/status/1363850501113008130?s=20
ઇજાને લઇને ઉમેશ ચેન્નાઇ ના ચેપક સ્ટેડિયમમાં રમાયેલી શરુઆતની બંને ટેસ્ટ મેચ થી દુર રહ્યો હતો. બીસીસીઆઇએ બુધવારે મોટેરા સ્ટેડિયમમાં રમાનારી અંતિમ ટેસ્ટે માટે ટીમનુ એલાન કરવામાં આવ્યુ હતુ અને જેમાં બતાવવામાં આવ્યુ હતુ કે ઉમેશ ટીમ સાથે સામેલ થશે. જોકે ટીમમાં સામેલ થવા માટે ફીટનેશ ટેસ્ટ પાસ કરવા માટે કહેવામાં આવ્યુ હતુ. ઉમેશે જે મુજબ ફિટનેશ ટેસ્ટ ક્લિયર કરી લેવા બાદ ડે નાઇટ- ટેસ્ટ મેચમાં અંતિમ ઇલેવનમાં તેનો સમાવેશ નક્કિ મનાય છે. ઉમેશ એ જાન્યુઆરી 2018 બાદ ભારતમાં સાત ટેસ્ટ મેચમાં 13.86 રનની સરેરાશ થી 38 વિકેટ ઝડપી હતી. જેમાં બે વાર તેણે પાંચ પાંચ વિકેટ ઝડપી છે. આવામાં ઓસ્ટ્રેલીયામાં પોતાની બોલીંગ થી પ્રભાવિત કરનારા યુવા ઝડપી બોલર મહંમદ સિરાજે બહાર બેસવુ પડી શકે છે.
ચેન્નાઇમાં રમાયેલી બીજી ટેસ્ટમાં આરામ કરનારા ઝડપી બોલર જસપ્રિત બુમરાહને પણ ડે નાઇટ ટેસ્ટ મેચ માટે ટીમમાં સામેલ કરાશે. પિંક બોલ થી બુમરાહ ભારત માટે ખૂબ અસરકારક નિવડી શકે છે. તેમજ તેના આવવા થી ટીમનુ બોલીંગ આક્રમણ મજબૂત બનશે.
ડે નાઇટ ટેસ્ટ મેચમાં ભારતીય ઝડપી બોલીંગ આક્રમણ વધારે મજબૂક કરવુ પડશે. એ માટે ચાઇનામેન કુલદિપ યાદવ ને ફરી એકવાર નિરાશ થઇ શકવુ પડે છે. આ અશ્વિન અને અક્ષર પટેલના રુપે બે સ્પિનર બોલર રમે તે નક્કિ છે. માટે જ કુલદીપ યાદવ અંતિમ ઇલેવનની બહાર થઇ શકે છે. કુલદિપ ને ઓસ્ટ્રેલીયામાં એક પણ મેચ રમવાનો મોકો મળી શક્યો નહોતો. ચેન્નાઇમાં રમાયેલી બીજી ટેસ્ટમાં લાંબા સમય બાદ કુલદિપને રમવાનો મોકો મળ્યો હતો.જેમાં તેણે બે વિકેટ પોતાના નામે કરી હતી.