Ind vs Eng: ચોથી ટેસ્ટની પ્લેંઈંગ ઇલેવનમાં ખાસ કોઇ બદલાવ નહી, બુમરાહનાં ખાલી સ્થાન પર સિરાજને તક
ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની ટેસ્ટ સિરીઝની અંતિમ અને ચોથી ટેસ્ટ મેચ અમદાવાદમાં આજે રમાઇ રહી છે. આ પહેલા બંને ટીમોએ પોતાની પ્લેયીંગ ઇલેવન (Playing XI) નુ એલાન ટોસ ઉછાળવાની સાથે જ કરી દીધુ હતુ.
ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની ટેસ્ટ સિરીઝની અંતિમ અને ચોથી ટેસ્ટ મેચ અમદાવાદમાં આજે રમાઇ રહી છે. આ પહેલા બંને ટીમોએ પોતાની પ્લેયીંગ ઇલેવન (Playing XI) નુ એલાન ટોસ ઉછાળવાની સાથે જ કરી દીધુ હતુ. ભારતીય ટીમમાં જસપ્રિત બુમરાહ (Jaspreet Bumrah) ની ખાલી પડેલા સ્થાનને મહંમદ સિરાજ (Mohammad Siraj) ને લઇને ભરવામાં આવ્યુ છે. જ્યારે ઇંગ્લેંડની ટીમમાં પણ બે બદલાવ કરવામાં આવ્યા છે. ઇંગ્લેંડની ટીમમાંથી જોફ્રા આર્ચર (Joffra Archer) અને બ્રોડ ને બહાર રખાયા છે. ઇંગ્લેંડ એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી છે.
ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ભારત હાલમાં 2-1 થી આગળ છે. ભારતીય ટીમે જો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ રમવી હશે તો, ચોથી ટેસ્ટમાં હારને તેણે ટાળવી પડશે. માત્ર ડ્રો સાથે જ ટીમ ઇન્ડીયા ફાઇનલ મેચમાં સ્થાન બનાવી શકશે. એટલે કે અમદાવાદની મેચ થી લોર્ડઝની ટીકીટ મેળવી શકશે.
જોવામાં આવે તો ભારતીય ટીમ એ ચોથી ટેસ્ટ મેચમાં કોઇ બદલાવ કર્યો નથી. માત્ર બુમરાહની રજાને લઇને ખાલી પડેલા સ્થાનને ભરપાઇ કર્યુ છે. બુમરાહ એ પોતાના વ્યક્તિગત કારણ દર્શાવીને બીસીસીઆઇ થી અંતિમ ટેસ્ટ મેચમાં થી રજા માંગી હતી. તેની રજાને બીસીસીઆઇ એ મંજૂર રાખી હતી અને જેને લઇને ટીમમાં તેનુ સ્થાન ખાલી પડ્યુ હતુ. જોકે આશા હતી કે બુમરાહના સ્થાન પર ઉમેશ યાદવને સ્થાન મળી શકે છે, પરંતુ કેપ્ટન કોહલીએ સિરાજના વર્તમાન ફોર્મ પર દાવ લગાવ્યો છે.
The final Test in Ahmedabad 👀
Joe Root calls right and England opt to bat 🏏
England: Bess, Lawrence IN; Archer, Broad OUT
India: Siraj IN; Bumrah OUT#INDvENG pic.twitter.com/fLFCAQFC6q
— ICC (@ICC) March 4, 2021
ભારતીય ટીમઃ રોહિત શર્મા શુભમન ગીલ, વિરાટ કોહલી (કેપ્ટન), ચેતેશ્વર પુજારા, અજીંક્ય રહાણે, ઋષભ પંત, આર અશ્વિન, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર. ઇશાંત શર્મા અને મહંમદ સિરાજ.