IND vs ENG: જેમ્સ એંડરસન ફીટ હોવા છતાં ઇંગ્લેંડની ખાસ પોલીસીને લઇને બીજી ટેસ્ટથી દુર રહી શકે છે
ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નાઇ (Chennai) માં રમાઇ હતી. હવે આગામી 13 ફેબ્રુઆરી થી આ જ મેદાનમાં બીજી ટેસ્ટ મેચ રમાનારી છે. એમએ ચિદંબરમ () સ્ટેડીયમ પર ભારતને પ્રથમ ટેસ્ટમાં 227 રન થી હાર મળી હતી. ઇંગ્લેંડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસન (James Anderson) નો તેમાં મહત્વની ભૂમિકા રહી હતી.
ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નાઇ (Chennai) માં રમાઇ હતી. હવે આગામી 13 ફેબ્રુઆરી થી આ જ મેદાનમાં બીજી ટેસ્ટ મેચ રમાનારી છે. એમએ ચિદંબરમ () સ્ટેડીયમ પર ભારતને પ્રથમ ટેસ્ટમાં 227 રન થી હાર મળી હતી. ઇંગ્લેંડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસન (James Anderson) નો તેમાં મહત્વની ભૂમિકા રહી હતી. જેમે પ્રથમ ટેસ્ટ મેચ દરમ્યાન બીજી ઇનીંગમાં એક જ ઓવરમાં શુભમન ગીલ (Shubman Gill) અને અજીંક્ય રહાણે (Ajinkya Rahane) ને આુઠ કરીને ટીમ ઇન્ડીયા (Team India) ને બેક ફુટ પર લાવી દીધી હતી. ઇંગ્લેંડના હેડ કોચ ક્રિસ સિલ્વરવુડ (Chris Silverwood) નુ કહેવુ છે કે, જેમ્સ એન્ડરસન પુરી રીતે ફિટ છે. જોકે આમ છતાં તેને બીજી ટેસ્ટમાં આરામ આપવામાં આવી શકે છે.
સિલ્વરવુડનુ માનવુ છે કે, એંડરસનની ફિટનેસમાં કોઇ જ કમી નથી. જો તે 40 વર્ષ પાર કરીને 38 વર્ષનો આ ઝડપી બોલર ઇંગ્લેંડના ઝડપી બોલીંગ આક્રમણની આગેવાની કરે તો નવાઇ નહી હોય. એંડરસન ભારત સામે પ્રથમ ટેસ્ટના આખરી દિવસે શાનદાર બોલીંગ કરી હતી. ઇંગ્લેંડના કોચ એ કહ્યુ હતુ કે, તે પુર્ણ રીતે ફીટ છે અને તે જોઇ પણ શકાય છે. તેને તેના માટે ખૂબ મહેનત પણ કરી છે. ફિટ હોવા સાથે તે ખૂબ સારી બોલીંગ પણ કરી રહ્યો છે.
ઇંગ્લેંડના કોચ એ વાત કરતા આગળ કહ્યુ હતુ કે, જ્યાં સુધી તે ફીટ છે, મજબુત છે અને સ્વસ્થ છે અને રમવા ઇચ્છે છે તો તે રમી શકે છે. જબરદસ્ત ફોર્મના છતા પણ રોટેશન પોલીસી મુજબ એંડરશનને બીજી ટેસ્ટમાં આરામ આપવામાં આવી શકે છે. કોચ એ કહ્યુ હતુ કે, તેને બહાર રાખવો એ કઠીન છે. હું વિનીંગ ટીમનો બદલાવ કરવા નથી માંગતો. જોઇએ છે કે શુ થાય છે. તેમણે કહ્યુ કે, ગર્મી વચ્ચે બોલરોને ફ્રેશ રાખવા માટે રોટેશન યોગ્ય વિકલ્પ છે.