IND vs ENG: હરભજન સિંહની વિકેટનાં આંકડા સુધી પહોંચવા અશ્વિન નજીક, ભજ્જી માટે કહ્યુ આવુ
ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાયેલી ટેસ્ટ સીરીઝને ભારતે શાનદાર રીતે જીતી લીધી છે. ભારતીય ટીમે (Team India) ચોથી ટેસ્ટ મેચને એક ઇનીંગ અને 25 રન થી જીતી હતી. આ સાથે જ ટેસ્ટ શ્રેણી 3-1 થી ભારતે પોતાના નામે કરી લીધી હતી.
ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાયેલી ટેસ્ટ સીરીઝને ભારતે શાનદાર રીતે જીતી લીધી છે. ભારતીય ટીમે (Team India) ચોથી ટેસ્ટ મેચને એક ઇનીંગ અને 25 રન થી જીતી હતી. આ સાથે જ ટેસ્ટ શ્રેણી 3-1 થી ભારતે પોતાના નામે કરી લીધી હતી.
ભારતના અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન (Ashwin) દરરોજ કંઇખ નવુ શિખીને નવીનતમ આપતો રહે છે. સાથએ જ પોતાને પણ સતત શ્રેષ્ઠ બનાવવા માટે કોશિષ કરતો રહે છે. અશ્વિન 10 વર્ષના પોતાના કેરિયરમાં 8 વખત મેન ઓફ ધ મેચ નો પુરસ્કાર જીત્યો છે. સાથે જ હવે તે હરભજન સિંહ (Harbhajan Singh) ના 417 વિકેટ લેવાના આંકડના થી માત્ર 8 વિકેટ દુર છે. અશ્વિન આ રેકોર્ડ ઇંગ્લેંડમાં જ તોડી શકે છે. પરંતુ તે એના વિશે કંઇ વિચારવા માંગતો નથી.
તેણે કહ્યુ હતુ કે, ઇમાનદારી થી કહુ તો, આ બાબત મારા મગજમાં નથી આવી. આપ તેમની પર મારો વિચાર લેવા માંગો છો તો, તે ખૂબ જ શાનદાર બોલર છે. ઘણીબધી બાબતો મે તેમની પાસે થી શીખી છે. જ્યારે ભજ્જી પા એ ભારતીય ટીમ માટે રમતની શરુ કરી હતી, ત્યારે હું ઓફ સ્પિનર બન્યો પણ નહોતો. અશ્વિન એ કહ્યુ કે 2001 માં હું તેમની જાણીતી ટેસ્ટ શ્રેણી ના કારણે પણ તેઓ મારા પ્રેરણાં સ્ત્રોત હતા. જે ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીમ 32 વિકેટ ઝડપી હતી. 2001 માં મે કયારેય વિચાર્યુ પણ નહોતુ કે હું એક ઓફ સ્પિનર બનીશ. મારો મતલબ છે કે, કોઇએ કલ્પના પણ આ બાબતની નહી કરી હોય.
સાથે જ અશ્વિને કહ્યુ હતુ કે, હું ભાગ્યશાળી રહ્યો છુ કે, જ્યારે ટીમમાં આવ્યો ત્યારે ભજ્જૂ પા સાથે રમ્યો અને અનિલ ભાઇની સાથે પણ રમ્યો. હવે હું મારી છાપ છોડવા માંગીશ. અશ્વિન ક્રિકેટર ના રુપમાં અને માણસ તરીકે પણ દરરોજ પોતાને વધારે શ્રેષ્ઠ બનાવવા માંગે છે. કહે છે કે, હું ખુદને શ્રેષ્ઠ બનાવતો રહેવા માંગુ છુ. શિખતો રહેવા માંગુ છુ અને એ જ મારી પ્રકૃતી છે. પિચની આલોચના કરવા વાળાઓ અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. કહ્યુ કે હું જોવા માંગીશ કે જ્યારે ભારતીય ટીમ ઉપખંડની બહાર મેચ રમવા જશે, ત્યારે તેમને હરિયાળી પિચ આપવામાં આવશે ત્યારે વૈશ્વિક મીડિયા તેની પર શુ પ્રતિક્રિયા આપે છે.
https://twitter.com/BCCI/status/1360952996209692673?s=20
અશ્વિન એ કહ્યુ કે, આ શ્રેણીમાં જીત એ વાતની સાબિતી છે કે આ હકિકતમાં ભારતની સારી ટીમ છે. હું બસ આટલુ જ કહેવા માંગીશ. એક દિવસ હું સાંભળી રહ્યો હતો કે, સન્ની ભાઇ શુ કહી રહ્યા હતા, સમજાય છે. અશ્વિન એ ગાવાસ્કરના તે બયાનને યાદ કર્યુ હતુ કે, જેમાં બ્રિટીશ પંડિતો ને વધારે મહત્વ નહી આપવામાં આવે. કારણ તે તેમનુ પસંદગીનુ કાર્ય જ ભારતીય પિચોની આલોચના કરવાનુ રહ્યુ છે.