IND vs ENG: બીજી ટેસ્ટમાં ઇંગ્લેંડ સામે રમી શકે છે અક્ષર પટેલ, સ્વસ્થ થઇ નેટ પર પરત ફર્યો

ઇંગ્લેંડ (England) સામેની ચેન્નાઇ ટેસ્ટ (Chennai Test) માં ભારતીય ટીમના ખેલાડી અક્ષર પટેલ (Akshar Patel) ઇજા ને લઇને બહાર થઇ ગયો હતો. તેના સ્થાને શાહબાઝ નદિમ (Shahbaz Nadeem) ને સ્થાન આપવામાં આવ્યુ હતુ, જે ખૂબ મોંઘો સાબિત થયો હતો. શાહબાઝ નદિમની બોલીંગ કાંઇક ખાસ રહી નહોતી, મેચ બાદ તેની પર ચર્ચાઓ પણ થઇ હતી.

IND vs ENG: બીજી ટેસ્ટમાં ઇંગ્લેંડ સામે રમી શકે છે અક્ષર પટેલ, સ્વસ્થ થઇ નેટ પર પરત ફર્યો
શરુઆતની ટેસ્ટ મેચના પહેલા જ અક્ષર પટેલને ઇજા પહોચીં હોવાની જાણકારી સામે આવી હતી.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 11, 2021 | 10:58 AM

ઇંગ્લેંડ (England) સામેની ચેન્નાઇ ટેસ્ટ (Chennai Test) માં ભારતીય ટીમના ખેલાડી અક્ષર પટેલ (Akshar Patel) ઇજા ને લઇને બહાર થઇ ગયો હતો. તેના સ્થાને શાહબાઝ નદિમ (Shahbaz Nadeem) ને સ્થાન આપવામાં આવ્યુ હતુ, જે ખૂબ મોંઘો સાબિત થયો હતો. શાહબાઝ નદિમની બોલીંગ કાંઇક ખાસ રહી નહોતી, મેચ બાદ તેની પર ચર્ચાઓ પણ થઇ હતી. સમાચારોના મુજબ અક્ષર પટેલ હવે આગળની મેચમાં રમતો જોવા મળી શકે છે. સામાન્ય ઇજા બાદ હવે તે ઠીક થઇ ગયો હોવાની જાણકારી મળી રહી છે.

સમાચારોના મુજબ અક્ષર પટેલ ઘુંટણની સામાન્ય ઇજામાંથી સ્વસ્થ થવાને લઇને હવે નેટ્સ પર પરત ફર્યો છે. તે હવે આગામી ટેસ્ટ મેચમાં ભારતની અંતિમ ઇલેવન (playing XI) માં સામેલ થઇ શકે છે. અક્ષર પટેલના આવવાથી શાહબાઝ નદિમને ટીમની બહાર કરવામાં આવી શકે છે. નદિમનુ પ્રદર્શન સંતોષજનક રહ્યુ નહોતુ.

શરુઆતની ટેસ્ટ મેચના પહેલા જ અક્ષર પટેલને ઇજા પહોચીં હોવાની જાણકારી સામે આવી હતી. જેને લઇને આખરે શાહબાઝ નદિમને તેના સ્થાને ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ હતુ. જે નિર્ણય ટીમ માટે ખોટો સાબિત થયો હતો. કુલદિપ યાદવના રહેવા છતા પણ શાહબાઝ નદિમને ટીમમાં સમાવાતા સવાલો ઉભા થયા હતા. નદિમે ત્રણ વિકેટ જરુર ઝડપી હતી, પરંતુ ટીમ ઇંગ્લેંડે ખૂબ રન પણ કર્યા હતા. નદિમે બંને પારીઓમાં કુલ 233 રન ખર્ચ કર્યા હતા. ઇંગ્લેંડની ટીમના મોટા સ્કોરમાં નદિમની બોલિંગને પણ જવાબદાર માનવામાં આવી રહ્યુ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

બોલીંગ બાદ નદિમ બંને પારીઓમાં શૂન્ય પર જ આઉટ થયો હતો. નદિમની આ રમતને લઇને એ પણ ચર્ચા ફરી ઉભી થઇ કે કુલદિપ યાદવને ટીમમાં નહી સમાવવાની ભુલ કેમ કરી. તેને સામેલ કરવો જોઇતો હતો. અક્ષર પટેલના આવવા થી એક વાર ફરી થી કુલદિપ યાદવે બહાર બેસવુ પડશે. જોકે આ તમામ બાબતો સમય આવવા પર જ સ્પષ્ટ થશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">