IND vs ENG: પિચને લઇને સવાલો ઉઠાવનારાઓને અક્ષર પટલે પણ વળતો જવાબ વાળ્યો, કહ્યુ માનસિકતા બદલો

ચેન્નાઇમાં ભારત અને ઇંગ્લેંડ ( India vs England) વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. પ્રથમ દિવસ થી જ એમ એ ચિદંમબરમ સ્ટેડિયમ (M A Chidambaram Stadium) ની પિચ ચર્ચાનો મુદ્દો બની છે. ભારતીય ટીમ (Team India) એ આ જ પિચ પર બંને ઇનીંગમાં બેટ અને બોલીંગથી કમાલ દેખાડ્યો છે.

IND vs ENG: પિચને લઇને સવાલો ઉઠાવનારાઓને અક્ષર પટલે પણ વળતો જવાબ વાળ્યો, કહ્યુ માનસિકતા બદલો
Akshar Patel
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 16, 2021 | 9:40 AM

ચેન્નાઇમાં ભારત અને ઇંગ્લેંડ ( India vs England) વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. પ્રથમ દિવસ થી જ એમ એ ચિદંમબરમ સ્ટેડિયમ (M A Chidambaram Stadium) ની પિચ ચર્ચાનો મુદ્દો બની છે. ભારતીય ટીમ (Team India) એ આ જ પિચ પર બંને ઇનીંગમાં બેટ અને બોલીંગથી કમાલ દેખાડ્યો છે. તો ઇંગ્લીશ ટીમ બેટીંગમાં તો નિરાશ રહી છે જ, સાથે બોલીંગમાં પણ કંઇ ખાસ સફળ રહી નથી. આવામાં અનેક ઇંગ્લેંડના પૂર્વ ક્રિકેટરો આ પિચ પર સવાલો સર્જી રહ્યા છે. ભારતીય સ્પિનર અક્ષર પટેલ (Akshar Patel) એ એવા લોકોને જબરદસ્ત જવાબ આપ્યો છે. સાથે જ કહ્યુ છે કે, ફરિયાદો કરવાને બદલે માનસિકતામાં બદલાવ લાવવાની જરુર છે.

આ મેદાનમાં પહેલી ટેસ્ટમાં પ્રથમ બે દિવસ બેટીંગ કરવામાં સરળતા રહી હતી. ઇંગ્લેંડના કેપ્ટન જો રુટ (Joe Root) એ શાનદાર બેવડી સદી ફટકારી હતી. જોકે આગળના ત્રણ દિવસ બોલરોને માટે સારા રહ્યા હતા. પરંતુ ભારતે 227 રને હાર મેળવી હતી. બીજી ટેસ્ટ મેચ માટે પિચમાં બદલાવ કરવામાં આવ્યો હતો. ભારતે સ્પિનરોને અનુરુપ પિચ બનાવી હતી. ભારતે પ્રથમ ઇનીંગ રમતા રોહિત શર્માની સદીની મદદ થી 329 રન કર્યા હતા,. જ્યારે તેના જવાબની ઇનીંગમાં માત્ર 134 રન પર જ ઇંગ્લેંડ ઓલઆઉટ થઇ ગયુ હતુ. મેચના ત્રીજા દિવસની રમત દરમ્યાન ભારત બીજી ઇનીંગમા 286 રન કરીને ઓલઆઉટ થયુ હતુ. જેના દમ પર લીડ સાથે ભારતે ઇંગ્લેંડને 482 રનનુ લક્ષ્ય આપ્યુ હતુ.

ત્રીજા દિવસને અંત બાદ ભારત વતી ટેસ્ટમાં ડેબ્યુ કરનાર અક્ષર પટેલે કહ્યુ હતુ. કે, જો તમે પિચ વિશે વાત કરતા હોય તો મને નથી લાગતુ કે કોઇ બોલ હેલ્મેટ સાથે ટકરાઇ હોય. બોલ સામાન્ય રિતે જ સ્પિન થઇ રહી છે. અમે બંને એક જ પિચ પર રમી રહ્યા છીએ. સાથે જ રન પણ બનાવી રહ્યા છીએ. જેને લઇને મને નથી લાગતુ કે, કોઇ ને પણ કોઇ પણ સમસ્યા થવી જોઇએ.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

અક્ષર પટેલે વિદેશી પૂર્વ ક્રિકેટરોની પર પણ કટાક્ષ કર્યો હતો. તેણે કહ્યુ, જ્યારે અમે વિદેશ જઇએ, તો અમે ઝડપી બોલરોની મદદગાર પિચ રમતા આવી ફરિયાદો નથી કરી. કે નથી વધારે ઘાસ હોવાનુ કહ્યુ. મને લાગે છે કે, વિકેટના અંગે વિચારવાને બદલે પોતાની માનસિકતાને બદલવી પડશે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">