IND vs ENG: રોહિત શર્માને લઇ અજય જાડેજા આગળ આવ્યા, ફોર્મમા આરામ પસંદ ના કરે, આ તો સવાલ ઉભા કરે છે

ટેસ્ટ સિરીઝ દરમ્યાન રોહિત શર્મા (Rohit Sharma) પુરી રીતે લયમાં જોવા મળ્યો હતો. તેણે ચાર મેચોની ટેસ્ટ શ્રેણીમાં ઇંગ્લેંડ (England) સામે ભારત તરફથી સૌથી વધુ રન બનાવ્યા હતા.

IND vs ENG: રોહિત શર્માને લઇ અજય જાડેજા આગળ આવ્યા, ફોર્મમા આરામ પસંદ ના કરે, આ તો સવાલ ઉભા કરે છે
Ajay Jadeja
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 14, 2021 | 8:48 AM

ટેસ્ટ સિરીઝ દરમ્યાન રોહિત શર્મા (Rohit Sharma) પુરી રીતે લયમાં જોવા મળ્યો હતો. તેણે ચાર મેચોની ટેસ્ટ શ્રેણીમાં ઇંગ્લેંડ (England) સામે ભારત તરફથી સૌથી વધુ રન બનાવ્યા હતા. ત્યારબાદ જ્યારે T20 સિરીઝનો સમય આવ્યો તો, તેને અંતિમ ઇલેવનથી દુર કરી દેવામા આવ્યો હતો. સૌ કોઇને આ વાત અજૂગતી લાગવા માંડી હતી. રોહિત શર્માને આરામને બહાને ટીમથી બહાર રાખવામાં આવતા સૌ કોઇ આશ્વર્ય અનુભવી રહ્યુ છે. એક એવો બેટ્સમેન કે જે પુરી રીતે ફોર્મમાં હતો, તેને જ અંતિમ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો નહી. આ વાત જ ક્રિકેટ ચાહકોને પચી નથી રહી.

રોહિત શર્માને ટીમમાં સ્થાન નહી આપવાને લઇને ભારતીય ટીમના પુર્વ ઓપનર બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) એ આક્રોશ દર્શાવ્યો હતો. તેમણે જાહેર કર્યુ હતું કે, ટીમમાં જો તે નહી હોય તો તે ટીવી પર મેચ નહી જુએ. હવે સહેવાગ બાદ ટીમ ઇન્ડીયાના પૂર્વ ક્રિકેટર અજય જાડેજા (Ajay Jadeja) પણ આગળ આવ્યા છે. તેમણે પણ રોહિત શર્માને ટીમમાં નહી રાખવાને લઇને સવાલ ઉઠાવ્યા છે. ક્રિકબઝના એક કાર્યક્રમ દરમ્યાન રોહિત શર્માને ટીમમાં સામેલ નહી કરવાના નિર્ણયને લઇને અજય જાડેજાએ તેને ખોટો ગણાવ્યો હતો.

જાડેજાએ કહ્યુ હતું કે, રોહિત શર્મા પોતાના બેસ્ટ ફોર્મમાં છે અને તે આરામ તો કરવાનુ નહી ઇચ્છે. તેમણે આગળ પણ કહ્યુ હતુ કે, દુનિયાનો કોઇ પણ ખેલાડી પોતાના ફોર્મમાં હોય ત્યારે આરામ પસંદ નથી કરતો હોતો. ખાસ પ્રકારે તો એક બેટ્સમેન ના રુપમાં તો ક્રિકેટ એવી ગેમ છે કે, તે ફોર્મથી ચાલે છે, લયથી ચાલે છે. જો બેટ્સમેન લયમાં હોય તો તે ખુદ તો, તેને નહી છોડવા માંગે, ઇંગ્લેંડ એ પણ ટેસ્ટ શ્રેણીમાં ભૂલ કરી હતી, તેણે પણ પોતાના મુખ્ય ખેલાડીઓને આરામ આપ્યો હતો. તેના પરિણામે તેણે સિરીઝ હારવી પડી હતી.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

અજય જાડેજાનુ કહેવુ છે કે, જે ખેલાડી ફોર્મમાં હોય, તે પોતે તો ટીમથી બહાર નહી રહેવા ઇચ્છે. આમ આ અનેક સવાલો ઉભા કરે છે. આમ પણ રોહિત શર્માને ટીમમાં નહી હોવાને લઇને ભારતીય ટોચનો ક્રમ પુરી રીતે લડખડાઇ ગયો હતો. જેને કારણે ટીમ પણ મોટો સ્કોર બનાવી શકી નહોતી અને ઇંગ્લેંડની ટીમ આસાનીથી જીતી ગઇ હતી. હવે બંને દેશો વચ્ચે બીજી મેચ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી છે.

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">