IND vs ENG: એક વર્ષ બાદ ભારતમાં ક્રિકેટ સ્ટેડીયમમાં દર્શકોની ચિચીયારીઓ સાંભળવા મળી, જુઓ નજારો
ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા (Team India) ની શરૂઆત સારી રહી નથી. શુભમન ગીલ (Shubman Gill) ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કર્યા બાદ ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં મોટો સ્કોર કરવા આશા રાખશે.
ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા (Team India) ની શરૂઆત સારી રહી નથી. શુભમન ગીલ (Shubman Gill) ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કર્યા બાદ ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં મોટો સ્કોર કરવા આશા રાખશે. બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ ત્રણ ફેરફાર કર્યા છે. જસપ્રીત બુમરાહ (Jaspreet Bumrah) ને આરામ આપવામાં આવ્યો છે. અક્ષર પટેલ (Akshar Patel) તેની ટેસ્ટ કેરિયરની શરૂઆત કરી રહ્યો છે. જ્યારે કુલદીપ યાદવ (Kuldeep Yadav) ટીમમાં પરત ફર્યો છે.
કોરોનાને કારણે લગભગ એક વર્ષ પછી પ્રેક્ષકો સ્ટેડિયમમાં પાછા ફર્યા છે. મેચ દરમિયાન પ્રેક્ષકો ખૂબ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. આ મેચને લગભગ 14,000 દર્શકો માણી રહ્યા છે. જોકે, બીસીસીઆઈ દ્વારા ઘણી સાવચેતી દાખવવામાં આવી રહી છે.
પ્રેક્ષકોની હાજરીને લઇ નિયમો ખૂબજ કડક છે. તામિલનાડુ ક્રિકેટ એસોસિએશન દ્વારા કહેવાયુ છે કે, માત્ર 50 ટકા દર્શકોને મંજૂરી પ્રવેશ માટે અપાઇ છે. જ્યારે પણ બોલ સ્ટેન્ડમાં જશે ત્યારે બોલને સેનેટાઇઝ કરીને ફરીથી ઉપયોગમાં લેવામાં આવશે, પ્રેક્ષક ગેલેરીમાં સીસીટીવી કેમેરા દ્વારા તેમના પર નજર રાખવામાં આવશે. પ્રથમ વાર જો કોઇ નિયમ તોડતા જણાશે તો તેને ચેતવણી અપાશે. બાદમાં તેની પર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. દરેક પ્રેક્ષકને પ્રવેશતા પહેલા તાપમાનની પણ ચકાસણી કરી લેવામાં આવશે, તેમજ સેનેટાઇઝ પણ ફરજીયાત કરવામાં આવશે. ઉપરાંત દરેખ પ્રેક્ષકે માસ્ક પહેરવુ ફરજિયાત રહેશે. આમ છતાં પણ સાવચેતીના ભાગરુપે 4 એમ્બ્યુલન્સ હંમેશા તૈયાર રહેશે. કોઈપણ ઇમરજન્સી સેવાઓ માટે 5 જેટલા ડોકટરોની ટીમ ઉપલબ્ધ રહેશે.
https://twitter.com/BCCI/status/1360440552244748290?s=20