ICC Ranking: વિરાટ કોહલી નવા રેન્કીંગમાં એક સ્થાન આગળ વધ્યો, રાહુલને નુકશાન

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (ICC) દ્રારા નવા બહાર પડાયેલ રેન્કીંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ને એક સ્થાન નો ફાયદો થયો છે.

ICC Ranking: વિરાટ કોહલી નવા રેન્કીંગમાં એક સ્થાન આગળ વધ્યો, રાહુલને નુકશાન
Virat Kohli-KL Rahul
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 24, 2021 | 4:19 PM

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (ICC) દ્રારા નવા બહાર પડાયેલ રેન્કીંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ને એક સ્થાન નો ફાયદો થયો છે. કોહલી હવે નવા રેન્કીંગમાં પાંચમાં સ્થાન થી ચોથા સ્થાન પર પહોંચી ચુક્યો છે. તો T20 માં પુર્ણ રીતે ફ્લોપ રહેલા ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ (KL Rahul) ને એક સ્થાનનુ નુકશાન થયુ છે. તે હવે ચોથા નંબર પર થી પાંચમાં સ્થાન પર સરકી ગયો છે. રેન્કીંગમાં ઇંગ્લેંડના બેટ્સમેન ડેવિડ મલાન (David Malan) 892 પોઇન્ટસ સાથે પ્રથમ નંબર પર અગાઉની માફક જ બન્યો રહ્યો છે.

T20 રેન્કીંગમાં વિરાટ કોહલીની ઉપર જે ખેલાડીઓ સ્થાન ધરાવે છે, તેમાં ડેવિડ મલાન ઉપરાંત આરોન ફિંચ અને બાબર આઝમનુ નામ સામેલ છે. આરોન ફિંચ 830 પોઇન્ટ સાથે બીજા નંબરના સ્થાન પર છે. જ્યારે બાબર આઝમ 801 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાન પર છે. વિરાટ કોહલી 762 પોઇન્ટસ સાથે ચાર નંબર પર છે. કેએલ રાહુલ 743 પોઇન્ટ્સ સાથે પાંચમાં નંબર પર છે. આમ કોહલી 19 પોઇન્ટ સાથે રાહુલ કરતા આગળ રહ્યો હતો.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

વિરાટ કોહલી ને T20 રેન્કીંગમાં પણ ફાયદો થવાનુ કારણ છે કે, તેણે ઇંગ્લેંડ સામેની પાંચ મેચોની T20 સિરીઝમાં જબરદસ્ત પ્રદર્શન કર્યુ હતુ. ખાસ વાત એ પણ રહી હતી કે, કોહલી પ્રથમ મેચમાં શૂન્યમાં આઉટ થયો હતો અને બાદમાં તેણે જબરદસ્ત વાપસી કરી હતી અને મેન ઓફ ધ સિરીઝ નો ખિતાબ પણ મેળવ્યો હતો. આ દરમ્યાન વિરાટ પાંચ મેચોની T20 સિરીઝમાં ત્રણ વાર 70 થી વધારે રનનો સ્કોર બનાવનારો વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો છે.

કેએલ રાહુલ ની વાત કરવામાં આવે તો, તે ઇંગ્લેંડ સામેની T20 સિરીઝમાં શાંત રહ્યો હતો. તે સતત રન માટે અને પિચ પર ટકી રહેવા માટે સંઘર્ષની સ્થિતિમાં હતો. તેણે પાંચમાંથી ચાર મેચ રમી હતી, જેમાં એક પણ મેચમાં તે દેખાવ કરી શક્યો નહોતો. સિરીઝમાં નિર્ણાયક મેચ દરમ્યાન કેપ્ટન વિરાટ કોહલી રાહુલના સ્થાને જાતે જ ઓપનીંગ કરવા માટે મેદાનમાં આવ્યો હતો. જ્યાં તેની અને રોહિત શર્માની જોડીએ ટીમને ધુંઆધાર શરુઆત આપી હતી. આ મેચને જીતીને ભારત એ સિરીઝને 3-2 થી જીતી લીધી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">