ડેવિડ વોર્નરના પારિવારીક જીવન પર પડી રહી છે અસર, શુ સર્જાઇ છે સમસ્યા ? જાણો
ઓસ્ટ્રેલીયાના ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નરે સ્વિકાર કર્યો છે કે, કોવિડ-19 મહામારી દરમ્યાન જૈવિક સુરક્ષીત માહોલમાં રહી ને ક્રિકેટ રમવાને લઇને પારીવારીક જીવન પર અસર પડી રહ્યુ છે. હવે તેમનુ મુખ્ય લક્ષ્ય આગળની બે ટી-20 વિશ્વકપમાં પોતાનુ દેશનુ પ્રતિનિધિત્વ કરવુ છે. વોર્નરે સ્વિકાર કર્યો છે કે, આંતર રાષ્ટ્રિય ક્રિકેટરના રુપમાં પાછળના છ મહિના ખુબ જ મુશ્કેલ […]
ઓસ્ટ્રેલીયાના ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નરે સ્વિકાર કર્યો છે કે, કોવિડ-19 મહામારી દરમ્યાન જૈવિક સુરક્ષીત માહોલમાં રહી ને ક્રિકેટ રમવાને લઇને પારીવારીક જીવન પર અસર પડી રહ્યુ છે. હવે તેમનુ મુખ્ય લક્ષ્ય આગળની બે ટી-20 વિશ્વકપમાં પોતાનુ દેશનુ પ્રતિનિધિત્વ કરવુ છે.
વોર્નરે સ્વિકાર કર્યો છે કે, આંતર રાષ્ટ્રિય ક્રિકેટરના રુપમાં પાછળના છ મહિના ખુબ જ મુશ્કેલ રહ્યા છે. તેમણે સાથે જ આગળના 12 મહિનામાં ઓસ્ટ્રેલીયા તરફ થી નિશ્વિત સંખ્યામાં શ્રૃંખલાઓમાં રમવાની પ્રતિબદ્ધતા દર્શાવવા થી પણ ઇન્કાર કરી દીધો છે. ડેવીડ વોર્નરે કહ્યુ હતુ કે, આમ કરવુ ઘણુ જ મુશ્કેલ છે. પાછળના છ મહિના ખુબ જ પડકાર ભર્યા છે. જૈવિક રુપ થી સુરક્ષીત માહોલ અને પરિવાર વિના રહેવાની આદત કરવાનો પ્રયાસ પણ કરવાનો હતો.
વોર્નરે કહ્યુ હતુ કે, પ્રત્યેક ખેલાડીએ અલગ અલગ પરીસ્થિતીઓનો સામનો કર્યો છે. જો તમે કેલેન્ડર જુઓ તો આગળના 12 મહિના ઘણાં મુશ્કેલ છે, નિશ્વિત રીતે એવો સમય આવશે કે તમે તમારા પરીવાર સાથે સમય વિતાવવા માંગશો. અમને અમારા પરિવાર થી મળવાનો સમય નથી મળી રહ્યો. રમ્યા પછી પણ 14 દિવસ હોટલમાં વિતાવવા પડશે. પત્નિ અને ત્રણેય બાળકો ને અહી લાવીશુ તો તે ખુબ મુશ્કેલ પડી શકે છે.
વોર્નર આગળ કહે છે કે, હું ક્યારેય તેમને એવી સ્થિતીમાં નહી મુકુ કે તેમણે 14 દિવસ ઘરમાં જ આઇસોલેશનમાં રહેવુ પડે. 34 વર્ષની ઉમરમાં તે ભવિષ્યમાં વધુ ટી-20 મેચ રમવા ને પ્રાથમિકતા આપશે. ખાસ કરીને આગળના બે વર્ષમાં બે ટી-20 વિશ્વકપ ને જોતા. આગળના બે ટી-20 વિશ્વકપ નુ આયોજન 2021 માં ભારત અને 2022 માં ઓસ્ટ્રેલીયામાં થનાર છે. આમ આવનારા બે વર્ષમાં વધુ ટી-20 મેચો રમાનારી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો