જાડેજા-ચહલ વિવાદઃ જેની પર થઇ રહી છે બબાલ તે આઇસીસીનો કનક્શન રિપ્લેશનમેન્ટ નિયમ શુ છે, જાણો

આ વર્ષે જ આઇસીસીએ ક્રિકેટના નવા નિયમોને માન્ચતા આપી હતી કે જે ગત વર્ષ ઓગષ્ટમાં બનાવવામાં આવ્યા હતા. હવે ક્રિકેટમાં નવો નિયમ છે કે, જો કોઇ ખેલાડી માથા અથવા ગર્દન પર ઇજાગ્રસ્ત થશે તો તેના સ્થાન પર કોઇ બીજા ખેલાડીને તક આપી શકાશે, એટલે કે 12 કે તેનાથી વધુ ખેલાડી બેટીંગ કે બોલીંગ કરી શકશે. […]

જાડેજા-ચહલ વિવાદઃ જેની પર થઇ રહી છે બબાલ તે આઇસીસીનો કનક્શન રિપ્લેશનમેન્ટ નિયમ શુ છે, જાણો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 05, 2020 | 8:09 AM

આ વર્ષે જ આઇસીસીએ ક્રિકેટના નવા નિયમોને માન્ચતા આપી હતી કે જે ગત વર્ષ ઓગષ્ટમાં બનાવવામાં આવ્યા હતા. હવે ક્રિકેટમાં નવો નિયમ છે કે, જો કોઇ ખેલાડી માથા અથવા ગર્દન પર ઇજાગ્રસ્ત થશે તો તેના સ્થાન પર કોઇ બીજા ખેલાડીને તક આપી શકાશે, એટલે કે 12 કે તેનાથી વધુ ખેલાડી બેટીંગ કે બોલીંગ કરી શકશે. જે માટે ફિઝીયો ખેલાડીની તપાસ કરીને તેનુ સંતુલન, યાદદાસ્ત સહિતની બાબતોને ચકાસણી કરે છે. આમ સરવાળે તેની ચેતનાઓને યોગ્ય રીતે ચકાસવામાં આવે છે અને બાદમાં તે અંગે નિર્ણય લેવાય છે.

કનક્શન નિયમ મુજબ, જો કોઇ બોલર ઇજાગ્રસ્ત થાય તો તેની જગ્યા એ તે જ પ્રકારનો ખેલાડી આવી શકે છે. એટલે કે બેટ્સમેનના સ્થાને બેટ્સમેન અને ઓલરાઉન્ડર ના સ્થાને ઓલરાઉન્ડર અથવા બોલરના સ્થાને બોલર. પરંતુ જો કોઇ ઓલરાઉન્ડર આવે છે તો તે માત્ર બેટીંગ કરી શકે છે. ભારતીય ઇનીંગ દરમ્યાન 19 મી ઓવરમાં ત્રીજા બોલ પર જાડેજાના પગ લડખડાવા લાગ્યા હતા. જેના આગળના પગમાં ખેંચાણ લાગી રહ્યુ  હતુ, એટલે કે તેને હેમસ્ટ્રિંગની પરેશાની હોવાનુ મનાઇ રહ્યુ હતુ. તે પાછલા પગ પર જોર આપીને શોટ રમી રહ્યો હતો.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Hardik and Jadeja break 21-year-old sixth-wicket partnership record against Australia

પરંતુ 20 મી ઓવરમાં મિશેલ સ્ટાર્કની બોલ જાડેજાના બેટના કિનારે અડકીને હેલમેટ પર વાગી ગઇ હતી. જેની આગળની ત્રણ બોલ પર તે બેટીંગ કરી રહ્યો હતો. આ દરમ્યાન તેને જોવા માટે ફિઝીયો મેદાન પર પહોંચ્યા નહોતા. તેણે બોલ વાગવાને લઇને કોઇ મુશ્કેલી પણ નહોતી દર્શાવી. જોકે ત્યાર બાદ ટીમ મેનેજમેન્ટને કનક્શન રિપ્લેસમેન્ટનો મોકો મળ્યો. આઇસીસીના નિયમો મુજબ હેમસ્ટ્રિંગ કે અન્ય ઇજાને લઇને રિપ્લેશમેન્ટ લઇ શકાતો નથી. પરંતુ હેલમેટ પર બોલ વાગવાથી માથાની ઇજાને લઇને કનક્શન લઇ શકાય છે. જે મેચમાં પુર્ણ ખેલાડી સ્વરુપે રમી પણ શકે છે. બસ આ જ વાત પર વિવાદ વર્તાઇ રહ્યો છે કે, કનક્શનની કોઇ સમસ્યા હતી કે કેમ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">